Wednesday, November 3, 2021

"JAI BHIM" જોવા જેવું ફિલ્મ.

        કાલે રાત્રે "JAI BHIM" ફિલ્મ (ચલચિત્ર) નિહાળ્યું. ખૂબ ગમ્યું. ફિલ્મ વિતરણ કર્તા એમેઝોન પ્રાઈમ છે. ફિલ્મ નિર્માણકર્તા ટી. જે. જ્ઞાનવેલ સાહેબ છે. ચલચિત્રમાં મુખ્ય અભિનેતા સૂર્યા અને પ્રકાશ રાજ, રાજીયા વિજયન, લિજોમોન જોસ, રાવ રમેશ અને કે. મણીકંદન જેવા સાથી સહાયક કલાકારોએ પણ પોતાના અભિનયમાં જીવ રેડી (ચલચિત્ર)ફિલ્મને ચાર ચાંદ લગાવ્યા છે. આ ચલચિત્ર વિશેની સ્ટોરી નથી લખતો. તમે જાતે જ નિહાળશો તો મજા આવશે તેથી.પણ મને આ ચલચિત્રમાં એક નવીનતા દેખાઈ એ એ છે કે અન્ય ચલચિત્રમાં ન્યાય, બંધુતા, સમાનતા વગેરેના પ્રતીક રૂપે બાબા સાહેબ કે બુદ્ધનું ચિત્ર, બુદ્ધ વિહાર, તેમના નામના સ્થળો વગેરે ઘણું બતાવવામાં આવે છે. જ્યારે આ ફિલ્મમાં એવું કશું નથી. નિર્માણકર્તાએ આવા કોઈ આડંબર વિના ફિલ્મ રજૂ કરી છે. 

            ફિલ્મમાં મુખ્ય અભિનેતાને ડો. આંબેડકરના વિચારોને સીધા જ અનુસરતા બતાવ્યા છે. ફિલ્મમાં ન કોઈ "જય ભીમ" કે અન્ય કોઈ નારા કે ના કોઈ વાદળી રંગનું પ્રતીક. સીધા જ માનવતા અને સત્યને કેન્દ્રમાં રાખી ફિલ્મ રજૂ કરવામાં આવી છે અને આ બંનેનો વિજય એટલે "જય ભીમ." માથે લાબું તિલક તાણનાર અને મિનિટે મિનિટે "નમ: શિવાય" કહેનાર પણ માનવતાના વિરોધીઓ હોય એવું દર્શાવી નિર્માતાએ ઈશ્વરવાદીઓ ઉપર સીધું નિશાન તાક્યું છે. ફિલ્મમાં ડાયલોગ ઓછા છે પણ ધારદાર છે. અહીં ધ્યાન કેન્દ્રિત કરવા જેવી વાત છે કે સાપ અને ઉંદર પકડનાર વાદી અને આદિવાસી સમુદાયોની  વ્યથા અને પીડાને રજૂ કરી છે.

    આઝાદીના આટલા વર્ષો પછીય અમુક લોકો મતાધિકારથી વંચિત છે એ ફિલ્મમાં વંચિત સમુદાયો પાસે ચૂંટણી કાર્ડ ન હોવું એની નિશાની દર્શાવી છે. કોઈ પણ જાતિ કે સમુદાયનાં દર્શકો ફિલ્મ નિહાળતી વખતે સત્યના પક્ષે રહી શકે એવું વાતાવરણ ફિલ્મમાં નિર્માણ કરવામાં આવ્યું જેથી ફિલ્મ સંપાદક પણ ધન્યવાદને પાત્ર છે.અહીં અડવાથી કે પાણી પીવાથી રાખતી અસ્પૃશ્યતાની વાત નથી. અહીં આધુનિક અને પહેલા કરતા પણ વધુ ધારદાર અને મજબૂત બનેલી સામંત અને રૂઢીવાદીઓની દલિતો, આદિવાદીઓ પ્રેત્યેની માનવીય મૂલ્યોને છીંન્ન ભિન્ન કરતી માનસિકતા અને ચિત્કાર કરતી હિંસા, કનડગત, અન્યાય અને શોષણની વાત નિર્માતાએ મૂકી છે.બોલિવૂડની ફિલ્મોમાં પોલીસને હીરો બનાવીને રજૂ કરવાની પ્રથા ચાલી આવે છે પરંતુ સમાજ,સરકાર અને પોલીસને અરીસો બતાવાનું કાર્ય આ ફિલ્મે કર્યું. ફિલ્મમાં દ્રશ્ય કે કલાકારના ચહેરા પર કોઈ પણ મેકઅપના થોથા વગર ફિલ્મ રજૂ થઈ  છે જે ફિલ્મને કુદરતી વાતાવરણ બક્ષે છે.

       જોકે ફિલ્મમાં એક વાત મને જરૂર ખટકે એવી લાગી કે ફિલ્મમાં બે ત્રણ વાર કાલમાર્ક્સની એક મોટી મૂર્તિ બતાવવામાં આવે છે અને ડો. બાબા સાહેબ આંબેડકરના  વિચારો કોમ્યુનિટ્સો સાથે સુસંગત થતાં નથી. કાલમાર્કસની મૂર્તિની જગ્યાએ જો ડો. આંબેડકરની મૂર્તિ ફિલ્મમાં બતાવી હોત તો સારું હતું.

- રાહુલ વણોદ

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...