न्याय चाहिए तो शासक बनो
-मान्यवर कांशीराम
આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??
હાલ નીલમ મકવાણા આમરણાંત ઉપવાસ ઉપર છે.પરંતુ સરકાર અને મીડિયા અવગણી રહ્યાં છે. ગ્રેડ પે માટે પોલિસ મિત્રોની માંગણી સરકાર સ્વીકારશે કે કેમ તે જોવું રહ્યું. બીજું ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો પણ જૂની પેંશન યોજના માટે હવે મેદાને આવ્યાં છે.બેન્કનાં ખાનગીકરણના વિરોધમાં તો બેંક કર્મચારીઓ હડતાળ અને માંગણી કરી જ છે. ત્યારે ફિક્સ પગાર મુદ્દે પણ કોણ ચૂપ છે ફિક્સ પગારમાં નોકરી કરતાં દરેક કર્મચારીઓ વિરોધમાં જ છે ગુજરાત સરકારની.
કર્મચારીઓ તો ખરાં જ ! પણ સરકારી નોકરી માટેની પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ તો હવે રીતસરનો વિદ્રોહ કરી રહ્યાં છે.હમણાં હમણાં પત્રકારો પર સરેઆમ હુમલાના વિરોધમાં પત્રકારોના સંગઠનોએ એ સરકારને પ્રશ્ન કર્યો હતો કે હવે તો અમેય સુરક્ષિત નથી. મેડિકલ વિભાગમાં પણ આવું જ છે.
પોલીસ હોય,
શિક્ષક હોય,
તલાટી હોય,
બેંક કર્મચારી હોય,
તબીબી વિભાગમાં નોકરી કરતા કર્મચારીઓ હોય,
દરેકે પોતાને મળતાં લાભ કે પગાર માટે આંદોલનો કરવા છે પણ કર્મચારીઓના હિતમાં કામ કરે એવી સરકાર બનાવવાના કોઈ પ્રયાસો નથી કરવા.
ગ્રે પેડ વધારવા માટે આંદોલન,
વય મર્યાદા વધારવા માટે આંદોલન,
બેન્કના ખાનગીકરણ સામે આંદોલન
જૂની પેંશન યોજના લાગુ કરવા આંદોલન
ફલાણા ફલાણા પગાર પંચમા સામેલ કરવા આંદોલન,
ફલાણા ફલાણા ભથ્થા ચૂકવવા માટે આંદોલન,
હંગામી કર્મચારીઓનું કાયમી થવા આંદોલન
આમ માત્ર આંદોલનો કરીને સંતોષ મેળવવો છે.પરંતુ કોઈ નક્કર આયોજન નથી કરવું. જો માત્ર આંદોલનો જ કરવા છે તો કશુ નહીં મળે અને વળે.
કાંશીરામ સાહેબ કહેતા કર્મચારી માટે સરકાર છે, સરકાર માટે કર્મચારી નથી. જો કર્મચારીનું શોષણ થતું હોય તો તેને પૂરો હક છે વિરોધ કરવાનો, પોતાના હક અધિકાર મેળવવાનો. જરુરત છે માત્ર કર્મચારીઓનું ભલું વિચારી શકે તેવી સરકારની. પણ તેના માટે મોટા ભાગના કર્મચારીઓ ઉદાસીન હોય છે.તેઓને કોઈ સરકાર સામે કશું વાંધો નથી જો તે સરકાર તેમને પગાર વધારો કે પેન્શન કે ભથ્થું વધારી આપે, પણ પોતાના પગ ઉપર ઘા આવે એટલે આંદોલનો કરે ! આમ તો મારું સ્પષ્ટ માનવું છે કે કોઈ પણ સરકારી કર્મચારી આંદોલન કરે છે તો તે માત્રને માત્ર પોતાના અને પોતાના પરિવાર માટે, એમની માંગણી પરિવાર અને પોતાના પૂરતી હોય છે, સામાજિક નહીં, જો સામાજિક હોત તો તેઓ તેમની સમસ્યાઓ માટે આંદોલન નહીં, યોગ્ય સરકારનો વિકલ્પ પસંદ કરેત.
માન્યવર કાંશીરામે સૌથી મોટું સરકારી કર્મચારીઓનું સંગઠન ઉભું કરેલ. અને તેના આર્થિક સહયોગથી સરકાર બનાવેલી. તે સરકારે સરકારી કર્મચારીઓ માટે શું શું લાભો આપેલા અથવા તેઓના હિતમાં શું કામ કરેલું તે કુમારી માયાવતી બહેનજીના મુખ્યમંત્રી કાળમાં કરેલ કાર્યોની યાદી જોશો તો સમજાઈ જશે. કાંશીરામ સાહેબે સરકારી કર્મચારીઓને વિશ્વાસમાં લઈને તેમનો સહયોગ લીધેલો. હાલ, પરિસ્થિતિ વિપરતી છે. કાર્યકરો અથવા પાર્ટીના નેતાઓ સરકારી કર્મચારીઓનો યોગ્ય વિશ્વાસ નથી જીતી શક્યાં. પરંતુ કર્મચારીઓ જો ઈચ્છે તો તેઓ મળીને પણ કોઈ યોગ્ય નેતૃત્વ પસંદ કરી યોગ્ય સરકાર બનાવવા પીઠબળ પૂરું પાડી શકે છે. અને પોતાના અધિકારો અને હક આપી શકે એવી સરકાર નિર્માણ કરે તો એમને અને એમની આવનારી પેઢીને આંદોલનો નહીં કરવા પડે.
- રાહુલ વણોદ
🙏♥️🙏
ReplyDeleteSaras
ReplyDelete👏
ReplyDeleteજ્યારે બીજાનાં પ્રશ્નો (શોષણ) માં પોતાના પ્રશ્નો દેખાય ત્યારે વ્યક્તિ સિસ્ટમ બદલવા પ્રયત્ન કરે છે.. ત્યાં સુધી નહીં
ReplyDeleteસરકારી કર્મચારીઓ સરકાર હસ્તક (હાતી) થઈ ગયા છે