Wednesday, December 23, 2020

#ઝરૂખો

#ઝરૂખો

એક સમયે ઐતિહાસિક બાંધકામમાં ઝરૂખો જોવા મળતો. જોકે હાલ તો ઝરૂખા લુપ્ત થતાં જાય છે. ઝરૂખાનું બાંધકામ મુખ્ય બે પ્રકારે થતું.
એક લાકડાનો ઝરૂખો
બે પથ્થરનાં બાંધકામમાંથી કોતરકામ કરી બનાવેલો ઝરૂખો.
       
               ઝરૂખાનો મતલબ લાકડાં કે પથ્થરનાં બાંધકામમાં બારી બહાર કાઢેલું ઝઝૂમતું બાંધકામ અથવા છજુ, આજે ઝરૂખનું સ્વરૂપ બદલાયું છે. હવે ઝરૂખાનું સ્થાન અગાસી અથવા બારી લીધું છે. ઝરૂખાનું મહત્વ સમય પ્રમાણે ઘટતું ગયું.
           ઝરૂખો લાકડાનો હોય કે પથ્થરોનો હોય એમાં સ્ત્રીઓ, ઘોડાઓ, સિંહ, દેવો અથવા વિવિધ ભાતનું વિસ્મય પમાડે એવું અદ્ભૂત કોતરણી કામ જોવા મળતું. કોઈ સારા સંશોધક દ્વારા ઝરૂખા ઉપરનાં ચિત્રોથી ઈતિહાસની લિપિ ઉકેલી શકાય છે. 

               ઝરૂખો મુખ્યત્વે મકાન કે રાજા રાજવાડાની હવેલીમાં નગરનાં મુખ્ય રસ્તેથી બહાર પડતો બનાવવા આવતો. જેથી ઝરૂખે ઊભાં રહી રસ્તામાં નિકળતા લોકો અથવા વારે તહેવારે ઉજવાતા પ્રસંગો, ઘટનાઓ ઝરૂખે ઉભા રહી જોઈ શકાય. ઐતિહાસિક મકાનોમાં ઝરૂખા વિશેષ જોવા મળતાં. ઝરૂખો મુખ્યત્વે રાજાઓની રાણી, મહારાણીઓને માટે બનાવવામાં આવતાં. ક્યાંક રાજાઓ માટે પણ બનાવવા આવતા. જેથી રાજા ઝરૂખેથી ઉભા રહી રાજ્ય વહીવટી કાર્ય કરી શકે અથવા નજારો જોઈ શકે. અન્ય પણ ઉમેરી શકાય.
       
             રાજા મહારાજાઓના સમયમાં ઝરૂખાનું વિશેષ મહત્વ હતું. આજથી સો બસો કે તેથી વધું વર્ષ જુના મકાનો અથવા રાજા રજવાડાનાં સમયનાં લાકડાં કે પથ્થરનાં કેટલાંક બાંધકામ જોશો તો તેમાં પણ ક્યાંક ક્યાંક હજુ ભગ્નાવસ્તામાં ઝરૂખા જોવા મળશે. આજે ઝરૂખા નામશેષ થતાં જાય છે. આજના સમયે હવે એવા અદ્ભૂત ઝરૂખા બની શકે એમ નથી. આમ તો શાયરોની ભાષામાં ઝરૂખાને ઇનજાર કરવા માટેનો ઓરડો કહી શકાય. આજે પણ આપણને પણ ઘણી વાર દિલને ઉદાસી ઘેરી વળે ત્યારે અથવા કોઈ પ્રસંન્નતાના સમયે બારી કે અગાસીએ ઊભા રહી બહારનું દ્રશ્ય જોવું ગમે. ફરક માત્ર એટલો કે આજે ઝરૂખાનું સ્થાન બારીએ કે અગાસીએ લીધું છે. 

              ઝરૂખાની વાત આવે એટલે સૈફ પાલનપુરીની ઝરૂખાને અમરત્વ બક્ષતી "શાંત ઝરૂખે.." મનહર ઉધાસનાં સુરીલા કંઠે ગવાયેલી અમર ગઝલ યાદ આવ્યાં વિના ન જ રહે ! તો જવાહર બક્ષી કાવ્યત્મકતાથી ઝરૂખાને પોતાની ગઝલનાં શેરમાં આ રીતે મૂકે છે કે,

બધાં વિકલ્પ પુરા થઈ ગયાં છે કિલ્લામાં,
ફર્યા કરે છે એકલો સંબંધ ઝરૂખામાં.

તો ઈ.સ.1978  માં હિન્દી ચલચિત્ર "અખિયો કે ઝરૂખે સે.." નામનું એક ફિલ્મ પણ આવેલું જેમાં શિર્ષક ગીત "અખિયો કે ઝરૂખે સે.." લોકોને બહુ પસંદ આવેલું. આજે પણ ગુજરાતની જો વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરોની પોળોમાં અને પાલનપુર જેવાં કેટલાંક અન્ય શહેરોમાં ઐતિહાસિક પથ્થરો અને લાકડાનાં બાંધકામો જે સમયકાળ સામે ઝઝૂમી રહ્યાં છે. ત્યાં ઝરૂખા ક્યાંક ક્યાંક દેખાય છે.
           
         એ ઝરૂખાઓ તે સમયની ભવ્ય ગાથા ગાય છે. એક સમયે રસ્તેથી વરઘોડો નીકળે ત્યારે આવા ઝરૂખા યૌવનથી છલકાઈ ઉઠતાં અને જીવંત બનતાં. બાકી તો આજે નામશેષ કહી શકાય.સૈફ પાલનપુરીની ભાષામાં કહીએ તો

વર્ષો બાદ ફરીથી આજે
એ જ ઝરૂખો જોયો છે.

ત્યાં ગીત નથી, સંગીત નથી,
ત્યાં પગરવ સાથે પ્રીત નથી,
ત્યાં સપનાઓનાં મહેલ નથી,
ને ઉર્મિઓનાં ખેલ નથી.

વધું ઉમેરણ આવકાર્ય...

સંકલન - રાહુલ વણોદ 
     મો.8000739976

4 comments:

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...