માણસ દુનિયાથી થાક્યો પાક્યો પોતાના ઘરે આવે એટલે એને હાશકારો થાય.
પણ જો પોતાના ઘરમાથી જ માણસને માન સન્માન ન મળે તો માણસ ક્યાં જાય !? પોતાનામાં ખોવાયેલા વ્યક્તિને બધું અજબની જ લાગે છે. "સાગર" નામના એક ઉર્દુ કવિ લખે છે,
આદમી ખુદ સે બીછડ જાયે અગર,
અજનબી અપના હી ઘર લગતા હૈં.
પોતાનું ઘર જ ન ગમે તો સમજવું આપણે આપણી જાતથી વિખુટા પડી ગયા છીએ. દુનિયાના જખમો ઘરે આવતા જ જાણે શમી જતાં હોય છે માણસને સૌથી મોટો મોહ મોતના ઘરનો હોય છે. પોતાનું ઘર કે ગામ છોડને જવું કોને ગમે !!?? જે જવાનો ભૂમિ રક્ષા દળમાં ફરજ બજાવે છે અથવા દેશ પરદેશ કામ ધંધાર્થે ગયાં છે. અથવા મજબૂરી વશ કોઈને કોઈ કારણથી ઘર પરિવારથી દૂર રહેવું પડે છે તેઓને કઇ કેટલાંય વિચાર આવતાં હશે.
અબ ઘર ભી નહીં ઘર કી તમન્ના ભી નહીં હૈં,
મુદ્દત હુઈ સોચા થા કિ ઘર જાયેગે એક દિન.
- સાકી ફારૂકી
બે વખ્ત અગર જાઉંગા સબ ચોંક્ પડેગે,
એક ઉંમ્ર હુઈ દિન મેં કભી ઘર નહીં દેખા.
બીજો એક શેર યાદ આવેછે.
કૈફ પરદેશ મેં મત યાદ કરો આપના મકા,
અબ કે બારીશને ઉસે તોડ ગીરાયા હોગા
હમને ઘર કી સલામતી કે લિયે,
ખુદ કો ઘર સે નિકાલ રખા હૈં
- અજહર અદિબ
ઘર એક એવી જગ્યા છે જ્યાં દરેકે પોતાના બાળપણના દિવસો વિતાવ્યા હોય છે.એમાંય જો નવું મકાન બન્યું હોય તો જૂના મકાનનો દરેક ખૂણો આંખોમાં કેદ થઇ ગયો હોય છે. ઘર પરિવાર જ વ્યક્તિ માટે સુખનું સરનામું હોય છે. એટલે જ તો શેખાદમ આબુવાલા લખે છે.
અહીં છે એવો સરંજામ નથી મળવાનો
તુટ્યો ફૂટ્યો ત્યાં કોઇ જામ નથી મળવાનો
લાખ જન્નત તું દેશે મને મારા ખુદા
મારા ઘર જેવો ત્યાં આરામ નથી મળવાનો
જન્નત કરતાંય વિશેષઘરનું મહત્વ આંકયું છે. પરંતુ ઘણાને તે સુખ ક્યાં નસીબમાં હોય છે.ઘણાનું ફુટપાથ જ ઘર હોય છે.
સુના હૈં શહર કા નક્શા બદલ ગયા મહફુજ,
તો ચલ કે હમ ભી જરા અપને ઘર કો દેખતે હૈં,
કોઈ શાયર તેના ઘરનું સરનામું કહેતાં સામેના વ્યક્તિને કહે છે કે, શહેરમાં નવી બનેલી સડકની બાજુમાં સૌથી કાચું અને જૂનું મકાન મારુ છે"
ખલીલ ધનતેજવી જેથી જ તો લખે છે.
ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી, નહિતર હું ના પાડું તને…
કેટલું વેધક !! સરનામાં વિનાના વ્યક્તિઓની વ્યથા ખલીલ સાહેબે પોતાના આ શેરમાં ઝીલી છે. ભારત પાકિસ્તાનના ભાગલા વખતે પોતાના ઘર જેવા ઘર છોડીને જવું એ વેદના હૃદયને લોહી લુહાણ કરી નાખે. અનિલ શર્મા નિર્દેશિત ફિલ્મ "ગદાર - એક પ્રેમ કથા" માં પોતાનું ઘર છોડીને હંમેશા માટે અલવિદા થતાં વ્યક્તિઓની વ્યથા કથાને આબેહૂબ ચિત્રિત કરી છે. પરંતુ સિયાસત કરનાર લોકોને શું પડી છે !!? યુક્રેનમાં જન સામાન્યની સ્થિતિ હાલ કફોડી છે. હજારો લોકો બેઘર થયાં છે. ઘણાંના પરિજનો છે પણ ઘર નથી, ઘણાંને ઘર છે પણ પરિજનો નથી બશીર બદ્ર સાચે જ કહે છે.
"લોગ તૂટ જાતે હૈં એક ઘર બનાને મેં,
તુમ તરસ નહીં ખાતે બસ્તિયા જલાને મેં."
એક એક સળી ભેગી કરીને પંખી માળો કરે છે અને માણસને એક સેકન્ડ થાય છે સળી કરીને માળો તોડી પાડવામાં.
ખેર આપણે તો એટલું જ શીખવું રહ્યું કે જો આપણું ઘર કાચનું હોય તો બીજાના ઘર ઉપર પથ્થર ના નંખાય..
પણ આજકાલ તો કાચના મકાનોમાં પથ્થર સમા માણસો રહે છે.
- રાહુલ વણોદ
No comments:
Post a Comment