Sunday, July 12, 2020

⚫બહુજન સાહિત્યકાર મોહિન્દર મોર્ય સાહેબ વણોદમાં...



                                                  - રાહુલ, વણોદ
                                                 મો.8000739976

                              સમગ્ર વણોદ "ભીમ દિવાના કમિટી"નાં આગ્રહથી આજ રોજ બહુજન સાહિત્યકાર,સંશોધક એવાં મોહિન્દર મોર્ય સાહેબ વણોદ ગામ પધાર્યા હતાં. અને એમની સાથે બહુજન વિચારધારાને વરેલા અને વિચારધારાને યોગ્ય રીતે સમજીને પચાવનારા માનનીય પ્રિંસ વાઘેલા સાહેબ પણ આવ્યાં હતાં. લગભગ બપોરે અગિયાર વાગ્યાની આસપાસ વાદળછાયું વાતાવરણ હતું તેથી મેં મોર્ય સાહેબને ફોન કરીને કહ્યું કે સાહેબ વરસાદી માહોલ છે. અને એમાંય સાણંદની દ્વિ ચક્રી વાહન લઈને છેક વણોદ આવવું એ જોખમ ભર્યું કામ છે. તેથી આવવાનું મોકૂફ રાખો તો સારું
ત્યાં સાહેબે મને પ્રશ્ન કર્યો કે, આયોજન થઈ ગયું છે બધું ?
          
                        મેં કહ્યું હા સાહેબ, મારા એક મિત્રના ઘરે બેઠક રાખી છે તમે કહ્યું એમ માર્કર પેન-બોર્ડ વગેરે બધું લાવી મૂક્યું છે. ત્યારે સાહેબે જે કહ્યું એ કદાચ કોઈ આંબેડકરી મુવમેન્ટને સમર્પિત વ્યક્તિ જ કહી શકે, એમણે કહ્યું કે, રાહુલ સાહેબ બધી વ્યવસ્થા તમે કરી ચૂક્યાં હોય અને આપણી કમિટીના સભ્યો પણ મને સાંભળવા આતુર હોય તો પછી વરસાદ હોય કે વાવાઝોડું હું જરૂર આવીશ. મિશનમાં ટાઢ તડકો વેઠીને જ વિચારધારાનું વાવેતર કરી શકાય. એમના આ શબ્દો કદાચ એમનો અનુભવ હશે. મોર્ય સાહેબ લગભગ એક વાગ્યાની આસપાસ વણોદ આવી પોહચ્યાં. 

                           કમિટીના મિત્રો તો ત્યાં હાજર જ હતાં. ત્યાર બાદ મેં ભીમ દિવાના કમિટીનાં સભ્યોને મોહિન્દર મોર્ય સાહેબ અને માન્ય પ્રિંસ વાઘેલા સાહેબનો પરિચય આપ્યો. ત્યાર બાદ મોર્ય સાહેબે કમિટીનાં મિત્રો સમક્ષ ખુદનાં સંશોધનો અને કેટલાક બહુજન સાહિત્યકારોનાં સંશોધનોને કેન્દ્રમાં રાખી માનવ ઉત્પત્તિ અને માનવ ઉત્ક્રાંતિ વિશે ખૂબ સરળ સમજૂતી આપી. મોર્ય સાહેબ એ રીતે સમજાવતા હતાં કે ત્યાં બેઠાલા બધાં મિત્રો એમને સાંભળવા વધુ આતુર બન્યાં. ત્યાર બાદ મોર્ય સાહેબે બાબા સાહેબનાં પુસ્તકનો આધાર રાખી પાંચમી સદીમાં અસ્પૃશ્યતાનો ઉદ્દભવ અને અસ્પૃશ્યતા કઈ રીતે ફૂલી ફાલી તે સમજાવ્યું. મોર્ય સાહેબ વ્યવસાયે અને સાહિત્યની  દ્રષ્ટિએ શિક્ષકનો જીવ તેથી સામેના વ્યક્તિ સમક્ષ કઈ રીતે પોતાની વાત મુકવી અને કંઈ રીતે સામેના વ્યક્તિનાં મગજમાં ફિટ કરવી એ સારી રીતે જાણે. વળી સંશોધન વૃત્તિને કારણે કોઈ પણ બાબતનું પછી ચાહે એ રાજકીય બાબત હોય, ધાર્મિક બાબત કે પાલી,હિન્દી કે ગુજરાતી ભાષાનાં અપભ્રંશ શબ્દોનું ઓપરેશન, શોધખોળ અને એનું મૂળ તપાસવાનું હોય એ દરેક બાબતનું ઓપરેશન કઈ રીતે કરવું એ સારી રીતે જાણે. તેથી તેઓ પોતાની વાત મુકતી વખતે વચ્ચે વચ્ચે પોતાની વાતનો સંદર્ભ અને પ્રમાણ આપતાં રહે.

                               તેમણે બુદ્ધની વાત મુકતા કહ્યું કે "ऐत्तो धम्म सनातना" આવું બુદ્ધ કહી ગયાં છે એનો મતલબ થાય કે આ ધમ્મ હું નથી સ્થાપતો હું તો માત્ર આનું સંકલન કરીને વિશ્વ સમક્ષ મુકું છું બાકી આ ધમ્મ સનાતન ધમ્મ છે અને મારી પહેલાં પણ 27 બુદ્ધ થઇ ગયાં કે જેમણે આ ધમ્મને આગળ વધાર્યો છે. ત્યાર બાદ સમ્રાટ અશોકની બુદ્ધ ધમ્મની ક્રાંતિની વાત કરીને છેક થોરવાડ સુધીની ઇતિહાસ યાત્રા સમજાવી જે પરંપરા આજ સુધી આપણાં સમાજ સાથે જોડાયેલી છે. ત્યાર બાદ સામાજિક દુષણો અને બાબા સાહેબની રાજકીય ક્રાંતિ વિશે પણ સમજ આપી. એક વાગ્યાથી શરૂ થયેલ વાતચીતનો દોર છેક પાંચ વાગ્યા સુધી ચાલ્યો. વચ્ચે બસ દસ મિનિટનો ટી(ચા) બ્રેક આવ્યો.

                      બેઠક પૂર્ણ થયા બાદ જય બોધ સાહેબ દ્વારા બેઠકનું સમાપન કરવામાં આવ્યું અને ત્યાર બાદ વણોદ "ભીમ દિવાના કમિટી" તરફથી ફ્રેમમાં મઢેલ બાબા સાહેબનું એક પેઇન્ટિંગ પ્રતીક અને સન્માન રૂપે મોર્ય સાહેબને ભેટ આપવામાં આવ્યું.મોર્ય સાહેબે જે માહિતી અને ઐતિહાસિક તથ્યો જણાવ્યા તે બદલ  વણોદ "ભીમ દિવાના કમિટી" માનનીય મોહિન્દર મોર્ય સાહેબ અને માનનીય પ્રિંસ વાઘેલા સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે.અને સાથે જ સાવડા ગામથી આવેલાં મારા મિત્ર વનરાજ મોર્ય, જયદીપ મોર્ય અને હસમુખ મોર્યનો પણ આભાર માને છે.


6 comments:

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...