Monday, August 17, 2020

#સંગઠન, #નેતા અને #નેતૃત્વ..

લેખન - રાહુલ વણોદ

મો.8000739976


             (એક સંગઠનનાં સભ્યો અને એ સંગઠનનું નેતૃત્વ કરતાં વ્યક્તિઓ માટે મેં બે દિવસ પહેલાં એક આર્ટિકલ લખ્યો હતો એના કેટલાંક અંશો અહીં મુકું છું.)


             નેતૃત્વ કંઈ રીતે કરાય નેતૃત્વ એટલે શું ? આવા સવાલોનાં જવાબ હજુ હું તો શોધી રહ્યોં છું.

 સૌ પ્રથમ તો હું જવાબ મેળવવા પ્રયાસ કરી રહ્યોં છું કે

નેતૃત્વ એટલે શું ?

નેતૃત્વની કોઈ વ્યાખ્યા હોઈ શકે  ખરી ??

મારા ધ્યાને અને વાંચવામાં આવ્યું છે અને મેં જેટલું સાંભળ્યું છે એ કહું તો નેતૃત્વ એટલે દોરવણીનું કાર્ય કરવું. સંગઠનના અન્ય સભ્યોને સંગઠનના ધ્યેયો, એના બંધારણ અને સંગઠનની વિચારધારા પ્રમાણે સંગઠનના સભ્યોને દોરવા એટલે નેતૃત્વ..

મારા ખ્યાલથી સંગઠનના નેતા કે એડમીન પાસે વધારાની સત્તા હોવાથી નેતૃત્વથી અન્યની કારીગીરીને યોગ્ય દોરવણી આપી અસરકારકતા લાવી શકે. નેતૃત્વ કરવું એટલે સમગ્ર સંગઠનનું સંચાલન કરવું. નેતૃત્વ કરનાર વ્યક્તિને આપણે સૂત્રધાર, સંચાલક, માર્ગદર્શક કે સહાયક પણ કહી શકાય.

મારા ખ્યાલથી સંગઠનના નેતા અથવા ગ્રુપ એડમીન એ સંગઠનનો જ એક ભાગ છે.છતાં નિર્ણય, માર્ગદર્શન અને અમલીકરણ બાબતે તે સમુહથી અલગ પડે છે. આટલી સમજ મને નેતા કે ગ્રુપ એડમીન વિશે છે. કદાચ અધૂરી કે અધકચરી અથવા અપૂર્ણ હોઈ શકે.

અને હવે વાત આવે નેતૃત્વની..

નેતૃત્વ કરવા માટે કેવો વ્યક્તિ પસંદ કરવો જોઈએ..

નેતૃત્વ એટલે શું આ પ્રશ્ન પણ મને સહજ થયો. જોકે નેતા અને નેતૃત્વના ગુણ વિશે ઘણું વાંચ્યું તેથી નેતૃત્વ વિશે થોડુંક લખીશ.

મારા ખ્યાલથી કોઈ પણ સંગઠનનાં સમૂહને દોરવણી આપનાર પોતાની આગવી લાક્ષણિકતાથી અલગ તરી આવે છે.અને નેતૃત્વનું પ્રવાહન કરે છે.આજ સમયમાં સંગઠનના નેતૃત્વ કરવામાં માટે લક્ષણો  આપણે તારી શકીએ છીએ..

સામાન્ય તઃ સંગઠન કે સમૂહના નેતા કે ગ્રુપ એડમીનમાં 

બુદ્ધિજન્ય લક્ષણો,

સર્વોપરિતા,

આત્મવિશ્વાસ,

ઉત્સાહ,

પ્રવૃતિમયતા અને 

સાહસિકતા જેવા ગુણો હોવા જરૂરી છે.

આગળ કહું તો બુદ્ધિ, સમજ, ખંત, મહત્વકાંક્ષા અને આશાવાદ જેવા લક્ષણો પણ હોવા જરૂરી છે.ઉપરાંત માનવીય શક્તિ પારખવાની આવડત, શુદ્ધ માનવ વ્યવહાર, સારા વ્યવહાર માટેના કૌશલ્યો પણ એટલા જ જરૂરી છે.આ નેતા કે ગ્રુપ એડમીનનાં બધાં જ ગુણો કે લક્ષણો ગ્રુપના કે સંગઠનના સભ્યોને, સાથીઓને પ્રેરવા, દોરવા અને કાર્યરત રાખવાની શક્તિ આપે છે. પરિસ્થિતિને સમજવાની સૂઝ, આવતી કાલની ભીતરમાં ડોકિયું કરી ભવિષ્યને કળી લેવાની આવડત, સમજ અને શક્તિ આપે છે. પરંતુ એ બધામાં સૌથી મહત્વનો ગુણ સંગઠનના નેતા કે ગ્રુપમાં હોવો જોઈએ તે એ છે કે નેતૃત્વ કરવા માટે પોતાનાં વ્યક્તિત્વની આહુતિ આપવી પડે છે. "હું" પણું સાથે રાખનાર વ્યક્તિ ક્યારેય કોઈ સંગઠન કે ગ્રુપનું સંચાલન કે નેતૃત્વ ન કરી શકે. બીજુ એ કે સંગઠન કે સમૂહના નેતા કે ગ્રુપ એડમીને અશક્ય લાગતાં નિર્ણયો લેવા પડે. એથી આગળ કહું તો ત્વરિત નિર્ણય શક્તિ ગ્રુપ એડમીનમાં હોવી ફરજીયાત છે. એનાં વગર નેતૃત્વ કરવું અશક્ય છે.

ડો. સોમૈયા કહે છે કે 

"સંગઠનમાં બે ચાર પ્રભાવ શાળી નેતા ના ચાલે. સંગઠનના સભ્યો જ નહીં પણ સંગઠનના નેતા કે ગ્રુપ એડમીને પણ સંગઠનનાં નીતિ નિયમો અનુસાર ચાલે ત્યારે જ સનગઠનના સંકલ્પો બધાં વાસ્તવમાં સાકાર પામે છે.

આપણે સંગઠનાત્મક સમજણને સફળતાનો શ્રેય વહેંચીને અન્ય નેતાની કદર કરીને અન્ય નેતાઓના કાર્યને સન્માન આપીને અને શાણપણ પૂર્વક કામ કરીએ તો અવશ્ય એ સંગઠન અને એ નેતા સમાજમાં પોતાનું પ્રદાન નોંધાવી શકે છે."

લાઓત્ત્સે પોતાના એક પુસ્તકમાં નેતાના પાંચ પ્રકાર જણાવે છે.

1.લોકોના ધ્યાનમાં ન આવે 

2.જેને લોકો પૂજે

3.જેનાથી લોકો ડરે 

4.જેને લોકો ધિક્કારે 

અને 

5. એવો નેતા કે ગ્રુપ એડમીન જે સંગઠન સિદ્ધિ મેળવે તો બધા સભ્યોને શ્રેય આપે. કેમ કે શ્રેષ્ઠ નેતા જ સંગઠનને તારે છે,

દોરે છે,

અને સિદ્ધિ અપાવે છે.

સંગઠનમાં નેતા વગર ચાલે જ નહીં

લાઓત્ત્સે કહે છે. આગળ કહે છે. કે,

"સંગઠન વ્યાપક હોય,

સંગઠનનું  ધ્યેય મહાન હોય,

સંગઠનનું નેતૃત્વ કરનાર વ્યક્તિમાં શ્રેષ્ઠ ગુણોના સમનયવ વાળું હોવું જોઈએ

શ્રેષ્ઠ નેતૃત્વ એટલે નેતાઓમાં સંગઠનના બંધારણના દિશા નિર્દેશન અનુસાર એકમેકના મગજને જોડીને બધાં માર્ગદર્શનને, સુચનોને ધ્યાનમાં રાખીને ત્યાગ, સમર્પણ અને નિષ્ઠા પૂર્વક નિરંતર કાર્ય કરતાં રહે અર્થાત ટિમ વર્ક સાથે સંગઠનના બંધારણને સમર્પિત રહી સતત સાથે રહીને કાર્ય કરવું એટલે શ્રેષ્ઠ નેતૃત્વ."

શ્રેષ્ઠ નેતૃત્વ અને શ્રેષ્ઠ નેતા થકી જ મહાન ધ્યેય હાંસલ કરી શકાય છે. માટે વ્યાપક રીતે વિસ્તારાયેલાં વિશાળ સંગઠનોના નેતાઓમાં લોકશાહી માનસ હોવું જોઈએ. માત્ર એક જ નેતા નિર્ણય લે અને અન્ય નેતાઓ પાસે સરમુખત્યારની જેમ કામ લે અને અન્ય નેતાઓના નિર્ણયની સહમતી આપવા દબાણ કરે તેવું નેતૃત્વ ન ચાલે. સંગઠન કોઈ બે ચાર સરમુખત્યાર શાહી વલણ ધરાવતાં નેતાના ઈશારે ન ચાલવું જોઈએ. કારણ કે તેમાં બંધારણ અને સંઘ ભાવનો ક્યાંકને ક્યાંક છેદ ઉડે છે. અને સંગઠન દીર્ઘ કાલીન ન ચાલી શકે. તે વિશાળ મહાન ઉદ્દેશ્યોને સિદ્ધિમાં રૂપાંતરીત ન કરી શકે. સંગઠન વિશાળ હોય ધ્યેય મહાન હોય  તો લોકશાહી નેતૃત્વ જ સફળતાનાં લક્ષ્યોને સાકાર કરાવી શકે. જો કોઈ નેતા મેલી મુરાદ વ્યક્ત કરે. સંગઠનને અવળી દિશામાં લઈ જવા દબાણ કરે, પ્રવાહિત કરે ત્યારે અન્ય નેતાઓએ એને સબક શીખવાડવો જોઈએ. ઘણાં સંગઠનોમાં તો એવું બને છે કે નેતાઓ સંગઠનાત્મક સત્યનો પક્ષ લે તો તેમને ષડયંત્ર થકી કુટિલ નેતાઓ દ્વારા સંગઠનમાંથી દૂર કરી દેવામાં આવે છે.જોકે આ બધું બહુમતી જોરે કરવામાં આવે છે.

શ્રેષ્ઠ નેતા તો એ છે કે પોતાની વાત સંઘની વાત ન માનનાર અન્ય નેતાઓ સભ્યોને તર્ક દ્વારા સત્ય હકીકતની પ્રતીતિ કરાવી ભૂલનો અહેસાસ કરાવી સાથે એનું મન હૃદય જીતી એમને બેવડા વેગથી કાર્ય કરતાં કરી દે અને તેથી જ મહાન ચિંતક મુકોલ્ડ કહે છે.

"મધ્યમ કક્ષાના નેતાઓ વાતો કરે છે.

સારા નેતાઓ સમજાવે છે. જ્યારે મહાન નેતાઓ પ્રેરણા આપી સંગઠનની પ્રક્રિયાને વેગવંતી બનાવે છે." પણ જ્યારે વર્ચસ્વ નેતા પોતાની વાત ન માનનાર નેતાને એનકેન પ્રકારે સંગઠનમાંથી દૂર કરે છે. ત્યારે સંગઠનાત્મક શક્તિ નાશ માપે છે. જ્યારે સંગઠનના તમામ નેતાઓની મનમાનીનું કેન્દ્રીય કરણ થઈ જાય છે ત્યારે  સંગઠન સિદ્ધિને વરે છે

પરંતુ જ્યારે જ્યારે પ્રત્યેક નેતાની મનની શક્તીઓનું વિકેન્દ્રિત કરણ થાય છે. ત્યારે સંગઠનની શક્તિ નબળી પડે છે.માટે સંગઠનના નેતાઓ વચ્ચે પરસ્પર ઊંડી સમજણ, શ્રદ્ધા સમન્વય પૂર્વકનું સહમત થવાનું શાણપણ હોવું જોઈએ. જો સહઠનના નેતા માત્ર ઉચ્ચ શિક્ષિત હોય અને તેમાં શાણપણનો અભાવ હોય તો સંગઠનને અસાધારણ સફળતા અપાવી શકતાં નહીં. માટે નેતામાં સંસ્કાર, સમજ અને શાણપણ અને સમર્પણ જેવાં સદગુણો હોવા ખૂબ જરૂર નહીં પરંતુ અનિવાર્ય છે. સંગઠન સંઘર્ષ કાળે કે કપરા કાળે સુરક્ષિત રહે તે માટે જ્યોર્જ બુશે કેટલાક સિદ્ધાંતો તારવ્યા છે.

જ્યોર્જ બુશનાં મતે "કોઈ પણ બાબતે ઉગ્ર સંઘર્ષ થાય તો તેને અંત ગણવો નહીં,

સતત ગૃહકાર્ય કરો નહીં તો તમારી વાત અન્યને સમજાવી શકશો નહીં. સંગઠનાત્મક પ્રક્રિયા કૈક આપીને મેળવવાની છે.માટે સમજાવીને કામ લો,નહીં કે ધમકાવીને. તમારા સંગઠનમાં દરેક કાર્યકરો અને સભ્યો મહત્વના છે. છેલ્લામાં છેલ્લી વ્યક્તિની જરૂરીયાત સમજો."જો આપણે સંગઠનાત્મક શક્તિ કેળવીને સફળતાનો શ્રેય વહેંચીને સંગઠન દરેક સભ્યોની કદર કરીને,અન્ય સભ્યોના કાર્યોને સન્માન આપતા રહીને શાણપણ પૂર્વક કામ કરીએ તો અવશ્ય અસાધારણ નેતા બની શકીએ. સ્ટીફન કોવિના શબ્દોમાં કહું તો "પરસ્પરની સમજણ અને સન્માન હોય. તો મતભેદો પણ નબળાઈને બદલે શક્તિમાં રૂપાંતર પામે છે."

સંગઠનને શિક્ષિત નેતાઓ નહીં પણ શાણપણ નેતાઓ સિદ્ધિઓ અપાવે છે.શાણપણ એ નેતૃત્વની આધારશીલા છે.

ડો. બાબા સાહેબનું એક કથન મને યાદ આવે છે. કે "મુજે ન બીકને વાલે કાર્યકર ચાહિયે.." જ્ઞાન ઔર સાધન કી કમી મેં પૂર્ણ કર દુગા.."

સંગઠનમાં એવાં કાર્યકરો અથવા સમૂહ કે ગ્રુપમાં એવાં સભ્યો અને ખાસ નેતાઓ કે ગ્રુપ એડમીન હોવા જોઈએ જે પોતાનાં કાર્ય પ્રેત્યે સમર્પિત અને નિષ્ટાવાન હોય.

Tuesday, August 4, 2020

⚫ જીવનમાં પુસ્તકો અને વાંચનનું મહત્વ.. 📚📖


લેખન - રાહુલ વણોદ
  મો.8000739976

                                         કાલે મારા એક સન્માનનીય મિત્રએ કહ્યું કે રાહુલ ભાઈ એક આર્ટીકલ લખો ને મે કહ્યુ ક્યાં વિષયને લઈને ? એમણે મને કહ્યું કે જીવનમાં પુસ્તકનાં મહત્વ વિશે.. એમની ઉમદા ભાવના અને આર્ટીકલ વિશેની મહત્તાને જોઇને મને લાગ્યું કે ખરેખર એ વિષય પર આર્ટિકલ લખવો જોઈએ. હાલ જ્યારે ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરનો જમાનો છે ત્યાં પુસ્તકોનું મહત્વ ભુલાતું જાય છે. પુસ્તકો અને વાંચન માત્ર અભ્યાસ કાળ પૂરતા જ જાણે સીમિત થઇ ગયાં છે. ત્યારે આપણે પુસ્તકોને એક બાજુએ મૂકી દીધાં છે. હું તો માનું છું કે પુસ્તક વગરનું ઘર એ જંગલ  જેવું છે. આજના જમાનામાં માણસ માનસિક તણાવનો ભોગ બન્યો છે એવામાં પુસ્તકને જો પોતાનાં મિત્ર બનાવતા આવડે તો ઘણું ઘરું ટેન્શન અને તણાવ ઓછો થઈ શકે છે. પુસ્તક અને વાંચનનું મહત્વ દરેક વ્યક્તિના જીવનમાં હોવું જ જોઈએ. વાંચન વગર બોધિક વિકાસ શક્ય જ નથી.

                      સારા પુસ્તકો જીવનમાં અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે. સારું પુસ્તક જો વાંચવામાં આવે તો એ તમારા વિચારો બદલશે, વિચારો બદલશે એટલે તમારો સ્વભાવ બદલશે અને તમારો સ્વભાવ બદલશે એટલે તમારું આખું વ્યક્તિત્વ બદલશે જેથી તમારા વ્યક્તિત્વ લથી પ્રેરાઈને અન્ય વ્યક્તિઓ બદ લલાશે એમ કુટુંબ અને કુટુંબથી દેશના વૈચારિક પરિવર્તન આવી શકે છે. ઘણાં બા બાપ પોતાની દીકરીને પરણાવવા માટે છોકરામાં અનેક બાબતો જોશે, ઘર બાર બેંક બેલેન્સ જમીન જાયદાત વગેરે પરંતુ એ નહિ જુએ કે એ છોકરામાં બોદ્ધિક લેવલ કેટલું છે ?
એનાં ઘરમાં પુસ્તકો કેટલાં છે? દરેક માં બાપે પોતાની દીકરી એવાં ઘરમાં પરણાવવી જોઈએ જે ઘરમાં સારા પુસ્તકો જોવા મળતાં હોય જે ઘરમાં સારા પુસ્તકો વસાવવામાં અને વાંચવામાં આવતા હોય. કેમ કે સારા પુસ્તકો વાંચનાર વ્યક્તિમાં અન્યને સમજવાની શક્તિ અને સમજાવવાની શક્તિ રહેલી હોય છે ઉપરાંત પુસ્તકો અને વાંચનમાં રસ ધરાવનાર વ્યક્તિ પોતાની વિવેક બુદ્ધિના આધારે કોઈ પણ નિર્ણય લેશે.

                            પરંતુ આજકાલ આ ઇન્ટરનેટના આક્રમણ વચ્ચે ક્યાંક પુસ્તકો પરાસ્ત થતાં દેખાય છે. લોકોમાં વાંચન ભૂખ ઓછી થતી જાય છે અને લોકો સારા પુસ્તકોથી વિમુખ થતાં જાય છે જે ચિંતાજનક છે. પરંતુ જીવનમાં જેટલું વધું વાંચશો તેટલું વધું જાણશો અને જેટલું વધુ જાણશો તેટલું વધું ફરશો અને આ જાદુ માત્ર પુસ્તકો જ તમને કરાવી શકે છે. ઘણી વાર આપણે કોઈ જગ્યાએ ફરવા ગયાં હોય અને ત્યારે એનાં વિશેનો ઇતિહાસ જો તમે પહેલાથી જ વાંચેલો હશે તો એ સ્થળે ફરવાની અને એ સ્થળ જોવાની કૈક અલગ જ મજા પડી જશે. પુસ્તકો માત્ર કાગળિયા કે પૂંઠા નથી પરતું કોઈ પુસ્તક તમે હાથમાં લેશો તો ખબર પડશે કે પુસ્તકોમાં કોઈ મહાપુરુષના વિચાર જીવે છે, એમાં હજારો વર્ષોનો ઇતિહાસ ધબકતો છે.
એમાં કોઈનો અનુભવ બોલતો હશે,
એમાં વિજ્ઞાન પડ્યું છે.
એમાં ઈશ્વરીય તત્વ પડ્યું છે. જે તમને એક અલગ જ વ્યક્તિ બનાવી શકે છે. સારા પુસ્તકનો કોઈ એક વિચાર તમારા જીવનને એક નવી દિશા આપી શકે છે.
આજે વિજ્ઞાનની જે પણ શોધ ખોળ થઈ છે એને પેઢી દર પેઢી આગળ ધપાવવાનું કામ પુસ્તકોએ જ કર્યું છે.
જો પુસ્તકો જ ન હોત તો આજે આપણે જે હજારો વર્ષનો ઇતિહાસ જાણીએ છીએ એ ઇતિહાસ ક્યારનોય સમયના પ્રવાહમાં તણાઈને સુસ્ક થઈ ગયો હોત.
કોઈ પણ વ્યક્તિ જ્યારે નવલકથા લખે એમાં એ પાત્રો કશુંક શિખામણ આપતાં હોય છે, વાર્તા લખે એમાં જીવનનો કશોક સાર હોય છે,
કવિતા લખે કે ગઝલ લખે તો એમાં સર્જકની વેદના અને લાગણી છલકાતી જોવા મળતી હશે,
નિબંધ લખે તો એમાં પ્રકૃતિ કે ધરતીનું ગાન હશે.
એમ કોઈ પણ સાહિત્ય સ્વરૂપ હોય એ સાહિત્ય સ્વરૂપમાં કોઈને કોઈ વિચાર પડેલો છે, સચવાયેલો છે.
સારા પુસ્તકો વ્યક્તિને સમજ આપે છે. જીવનનો સાર, નિચોડ આપે છે. વ્યક્તિનાં જીવનમાં ઉત્કૃષ્ઠ વિચારોનુ રોપણ સારા પુસ્તકો જ કરી શકે. સારા પુસ્તકો વાંચવાથી પહેલાં જે સંકુચિત માનસિકતા હોય એમાં બદલાવ આવે છે. સમાજે, કુટુંબે થોપેલા પૂર્વગ્રહો દૂર થાય છે અને પુસ્તકો પૂર્વગ્રહ યુક્ત બુદ્ધિ અને શક્તિનો સંચાર કરે છે. અને આપણી વૈચારિક અને કલ્પના શક્તિને એક નવો આયામ આપે છે.
આજે તો જે જોઈએ એ વિષય પર અઢળક પુસ્તકો ઉપલબ્ધ છે તો શા માટે આપણે એનો લાભ ન લઈએ ?
મનગમતા વિષય નક્કી કરો અને એ વિષયને લગતા પુસ્તકો વસાવવાનું અને વાંચવાનું આજે જ સરું કરી દો. જે વિષયની આપણે ને ઓછી જાણકારી હોય અથવા હોય જ અહી એવા પુસ્તકો ભરપૂર વાંચો જેથી જ્ઞાનનો ભંડાર અને સંચાર બુદ્ધિમાં થવાનો શરૂ થઈ જશે એનાંથી એ વિષય વિશે જાહેરમાં તમે બોલી શકશો એનાં થકી તમારા આત્મ વિશ્વાસમાં પણ વધારો થતો જોવા મળશે. જ્ઞાન એ દુઃખદ પરિસ્થિતિમાં પણ તમને અડગ રહેતાં શીખવશે અને એ બધું માત્ર સારા અને ઉત્તમ પુસ્તકોના વાંચનથી જ શક્ય બનશે.

                     વાંચન વગરના માણસનું મગજ અને વિચાર શક્તિ અમુક હદમાં સીમિત થઈ જાય છે જ્યારે વાંચન પ્રિય વ્યક્તિ વ્યાપક અર્થમાં વિચારી શકશે એટલું જ નહિ વાંચનથી કલ્પનાશક્તિમાં પણ અસાધારણ વધારો થાય છે. કવિઓ અને લેખકોનાં સાહિત્યમાં વિશેષ રીતે કલ્પના શક્તિ જોઈ શકો છો એ વાંચનનો કમાલ છે. વાંચન એ તમારી કલ્પના શક્તિને પાંખો આપે છે. પુસ્તકમાં કોઈ નવા સ્થળ વિશે તમે ઘરે બેઠા જ વાંચીને માહિતી મેળવી શકો છો. જાણી શકો છો.
ઘણા ખરા વાર્તાકારો કલ્પના શક્તિ નો ભરપુર ઉપયોગ કરી વાર્તા કે નવલકથા લખે છે એ વાંચવામાં સમય ક્યાં નીકળી જાય છે એ ખબર જ નથી પડતી. એટલા તરબોળ થઈ જવાય છે. કોઈ ઐતિહાસિક નવલકથા કે વાર્તા વાંચતી વખતે એમ જ થાય કે વાર્તાનાં પાત્રો આપણી સામે જ જીવંત ઊભા છે. પુસ્તકમાં એટલી તાકાત છે કે તમને એક દુનિયામાંથી બીજી દુનિયામાં લઈ જઈ શકે છે. અને ગમે ત્યારે એ દુનિયામાંથી પાછા પણ લાવી શકે છે. આ પ્રકારનું જાદુ માત્ર પુસ્તકો જ કરી શકે. માણસનાં સ્વસ્થ શરીર માટે જેમ કસરત જરૂરી છે એમ બુદ્ધિ કે મગજનાં વિકાસ માટે સારા પુસ્તકોનું વાંચન જરૂર છે. કેમ બંધ રૂમમાં ખુલ્લી બારી માંથી આવતી હવા રૂમને ફ્રેશ રાખે છે એમ પુસ્તક રૂપી બારી એ જ્ઞાન રૂપી હવાથી બુદ્ધિ રૂપી રૂમને ફ્રેશ રાખે છે.

                          મહાન ખગોળશસ્ત્રી કાર્લ સાગન તેથી જ તો કહે છે કે "પુસ્તકો વગરનો રૂમ બારીઓ વગરનાં રૂમ જેવો છે."
આપણો કોઈ મિત્ર આપણને જ્ઞાન આપે તો બદલામાં કશુંક લેય જ અથવા ક્યારક એ આપણી પાસેથી કશુંક અપેક્ષા રાખે જ. જ્યારે પુસ્તકો તમને કોઈ અપેક્ષા વગર જ્ઞાન આપે છે. ક્યારેય રિસાય પણ નહિ !
પુસ્તકો સમયના બંધન તોડી નાખી છે અને તમને એ વ્યક્તિથી પરિચિત કરાવે છે. એ વ્યક્તિનાં જ્ઞાનથી પરિચિત કરાવે છે જે વર્ષો પહેલાં, યુગો પહેલાં તમારી વચ્ચેથી સહદેહે વિદાય પામ્યો છે. પરંતુ એનાં વિચારો એ પુસ્તકમાં સદાય માટે જીવંત રહે છે જેને તમે ગમે ત્યારે વાંચી શકો છો. કોઈ પણ મહાન વ્યક્તિ જે સહ દેહે આપણી વચ્ચે ના હોય તો એના સાહિત્ય થકી એ મહાપુરુષને બહુ નજીકથી જાણી અને સમજી શકાય છે. આ કેટલી અદભૂત અને આશ્ચર્યજનક વાત.. !!!!
લેખન અને વાંચન કદાચ વિશ્વની મહાન શોધ છે.

                      પુસ્તકો એકાગ્રહતા અને આત્મિશ્વાસ વધારવાનું હાથવગું સાધન છે. અને સમજણ શક્તિ અને વિચારશક્તિ ખીલવે છે. કલ્પના શક્તિ ખીલવે છે. નવો દૃષ્ટિકોણ આપે છે. નવા ધ્યેયો અને વિચારો આપે છે. વળી પુસ્તકો આપણા વ્યક્તિત્વને અપડેટ કરી આપે છે.
ક્યારેક કોઈ લેખકનો લેખ વાંચી અથવા કોઈ કવિની કવિતા કે ગઝલ વાંચીને અથવા કોઈ સર્જકની વાર્તા કે નવલકથા વાંચીને આપણે પણ કવિતા, ગઝલ કે વાર્તા લખવાનો વિચાર આવે જ છે અને ક્યારેય આપણે લખીએ પણ છીએ આપણું લખાણ ભલે સાહિત્યની દ્રષ્ટિએ ખરું નાં ઉતરે પરતું આપણને કશુંક નવું કરવા જે પ્રેરણા મળી એ પુસ્તક વાંચનથી જ મળી એ સહજ સ્વીકારવું પડે ! ઘણાં મિત્રોની એવી ફરિયાદ હોય છે કે વાંચવું તો છે પણ વાંચનનો કંટાળો આવે છે તો એનાં માટે એક ચોક્કસ વ્યવસ્થા ગોઠવી આગળ વધી શકાય છે જેના કારણે વાંચન પ્રત્યે રસ જાગે એવી પ્રવુતિ કરી શકાય.
જેમ કે શરૂઆત આ રીતે પણ કરી શકાય કે,
- સૌ પ્રથમ તો કોઈ મનગમતો વિષય પસંદ કરો.
- ત્યાર બાદ એ વિષયને લગતા પુસ્તકો વસાવો અથવા કોઇ મિત્ર પાસે એ વિષયના પુસ્તકો હોય તો લઈ આવો.
- શરૂઆત નાના અને ઓછા પેજ   વાળા પુસ્તકોથી કરો. જેથી   વાંચવામાં કંટાળા જેવું ના લાગે અને ઓછા સમયમાં વાંચી શકાય
- પછી નક્કી કરો કે રોજ દસ મિનિટ સુધી અથવા રોજ 10 પેજ જરુર વાંચીશ
- નક્કી કરેલાં ધ્યેયને પૂર્ણ કરવા શક્ય એટલો પ્રયાસ કરો.

વાંચનથી ઘણાં ફાયદા થાય છે જે ઉપર મે જણાવ્યા છે તે છતાં ફરી રીપિટ કરું છું. જેથી તમારા ધ્યાને આવે.
- ખુદનાં માટે સમય મળશે
- વાંચવાથી લેખન શક્તિ અને પ્રતિભા વધશે.
- શબ્દ ભંડોળ વધશે અને ભાષા ઉપર પ્રભુત્વ અને પકડ વધશે.
- માનસિક તણાવ દૂર થશે
- રાત્રે સૂતા પહેલાં વાંચન કરશો તો ઊંઘ સારી આવશે.
અને
- સ્પર્ધાતમકતા પરીક્ષાઓ અને અભ્યાસમાં તો ઉપયોગી થશે જ.

                         આમ અન્ય પણ ઘણાં ફાયદા છે પુસ્તકો વાંચવાના પરતું અમુક અશ્લીલ અને અંધશ્રદ્ધા ફેલાવતા પુસ્તકો નુકશાનકારક પણ છે જ. આપણે સારા અને નસરા પુસ્તકો વચ્ચેનો ભેદ ખબર હોવી જોઈએ. જે પુસ્તકો અંધશ્રદ્ધા અને કટ્ટરતા શીખવતા હોય એવા પુસ્તકોથી દૂર રહેવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી એવા પુસ્તકોનો બહિષ્કાર કરવો જોઈએ. ડો. આંબેડકરનો પુસ્તક પ્રેમ જગ પ્રખ્યાત છે. લાખો પુસ્તકો એમણે વાંચેલા અને કેટલાય પુસ્તકો લખેલાં તે છતાં તેમણે અંધશ્રદ્ધા અને અસમાનતા ફેલાવતાં મનુસ્મૃતિ જેવાં પુસ્તકને જાહેરમાં સળગાવીને સ્પષ્ટ કરી દીધું હતું કે ખરાબ પુસ્તકો માનવતાનાં દુશ્મન હોય છે. જેને માનવ મનમાં કદી સ્થાન ન મળવું જોઈએ.
પરતું સારા પુસ્તકોનું વાંચન કરનાર જ્ઞાની પુરુષ સર્વત્ર જગ્યાએ સન્માન પામે છે.
ગુજરાતી સાહિત્યના બહુ મોટા ગજાના કવિ કલાપીએ પોતાનાં પુસ્તક પ્રેમ વિશેનો પ્રેમ વ્યક્ત કરતા કહ્યું હતું કે,
"જીવીશ, બની શકે તો એકલાં પુસ્તકોથી.."
રવીન્દ્રનાથ ટાગોર વાંચનનું મહત્વ સમજાવતા કહે છે કે આંખ સામે રહેલી વસ્તુઓનું જ્ઞાન મેળવવા માટે પણ પુસ્તકો વાંચવા જરૂરી બની જાય છે.
મોન્ટેગ્યું કહે છે જ્યારે તમે કંટાળી જાવ ત્યારે જો તમે પુસ્તક હાથમાં લેશો તો તમને જીવનમાં રસ, કુતુહલ અને નવજીવન પ્રાપ્ત થશે.

                પરતું આજે ભારતની જો વાત કરીએ તો કોલેજો અને યુનિવર્સિટીઓનાં પુસ્તકાલયોનાં કબાટમાં પુસ્તકો ધૂળ ખાતા નજરે પડે છે. નવી પેઢી વાંચન અને પુસ્તકથી વિમુખ થતી જોવા મળે છે. જે દુઃખદ છે. આધુનિક સમયમાં કમ્પ્યુટર અને મોબાઈલ આવી જતાં પુસ્તકો અસ્પૃશ્ય બની ગયાં છે. મોબાઈલમાં પબજી, ફેસબુક અને વો્સએપમાં આજનું યુવાધન મોટા ભાગનો સમય વેડફી રહ્યો છે. અને પુસ્તકો માત્ર પરિક્ષા સમયે જ યાદ આવે છે. તેથી શિક્ષણ વિભાગ, કોલેજ અને યુનિવર્સિટીઓ પુસ્તક પ્રદર્શન, પુસ્તક મેળો જેવા આયોજન કરી નાગરિકો અને યુવાનોને પુસ્તકોની નજીક લાવવાનો પ્રયત્ન કરતાં રહે છે. જોકે આધુનિક સમયમાં પણ પુસ્તક પ્રેમીઓ તો મળી જ રહે છે. ઘણાં મિત્રોનાં ઘરમાં ક્યારેય પુસ્તકાલય જેવો નજારો જોવા મળે છે ત્યારે લાગે છે. પુસ્તક પ્રેમીઓ આજે પણ જીવંત છે. પરતું તે છતાં આજે બજારોમાં ઘણી વાર જોઉં છું કે ચપ્પલ આલીશાન કાચના શો રૂમમાં ગોઠવાયેલા જોવા મળે છે જ્યારે પુસ્તકો નાની દુકાનો, લારીઓ અને ફૂટપાથો પર વેચતા જોવા મળે છે. આવા દ્રશ્યો જે દેશમાં જોવા મળે ત્યાંના નાગરિકોનું બોદ્ધીક પતન થાય છે. એવાં
દેશમાં ડોક્ટર વકીલ અને વૈજ્ઞાનિક ઓછા અને અંધશ્રધ્ધામાં ડૂબેલાં લોકો વધુ જોવા મળે છે.
આપણે આશા રાખીએ કે દેશમાં પુસ્તક અને વાંચનનું મહત્વ વધે એવા સરકારે પ્રયત્નો કરવા જોઈએ...

છેલ્લો થોટ...

પુસ્તકો રોડ પર અને જૂતા શોરૂમમાં વેચાશે ત્યારે સમજી જજો કે લોકોને જ્ઞાનની નહિ પણ જુતાની જરૂરત છે..

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...