Monday, August 17, 2020

#સંગઠન, #નેતા અને #નેતૃત્વ..

લેખન - રાહુલ વણોદ

મો.8000739976


             (એક સંગઠનનાં સભ્યો અને એ સંગઠનનું નેતૃત્વ કરતાં વ્યક્તિઓ માટે મેં બે દિવસ પહેલાં એક આર્ટિકલ લખ્યો હતો એના કેટલાંક અંશો અહીં મુકું છું.)


             નેતૃત્વ કંઈ રીતે કરાય નેતૃત્વ એટલે શું ? આવા સવાલોનાં જવાબ હજુ હું તો શોધી રહ્યોં છું.

 સૌ પ્રથમ તો હું જવાબ મેળવવા પ્રયાસ કરી રહ્યોં છું કે

નેતૃત્વ એટલે શું ?

નેતૃત્વની કોઈ વ્યાખ્યા હોઈ શકે  ખરી ??

મારા ધ્યાને અને વાંચવામાં આવ્યું છે અને મેં જેટલું સાંભળ્યું છે એ કહું તો નેતૃત્વ એટલે દોરવણીનું કાર્ય કરવું. સંગઠનના અન્ય સભ્યોને સંગઠનના ધ્યેયો, એના બંધારણ અને સંગઠનની વિચારધારા પ્રમાણે સંગઠનના સભ્યોને દોરવા એટલે નેતૃત્વ..

મારા ખ્યાલથી સંગઠનના નેતા કે એડમીન પાસે વધારાની સત્તા હોવાથી નેતૃત્વથી અન્યની કારીગીરીને યોગ્ય દોરવણી આપી અસરકારકતા લાવી શકે. નેતૃત્વ કરવું એટલે સમગ્ર સંગઠનનું સંચાલન કરવું. નેતૃત્વ કરનાર વ્યક્તિને આપણે સૂત્રધાર, સંચાલક, માર્ગદર્શક કે સહાયક પણ કહી શકાય.

મારા ખ્યાલથી સંગઠનના નેતા અથવા ગ્રુપ એડમીન એ સંગઠનનો જ એક ભાગ છે.છતાં નિર્ણય, માર્ગદર્શન અને અમલીકરણ બાબતે તે સમુહથી અલગ પડે છે. આટલી સમજ મને નેતા કે ગ્રુપ એડમીન વિશે છે. કદાચ અધૂરી કે અધકચરી અથવા અપૂર્ણ હોઈ શકે.

અને હવે વાત આવે નેતૃત્વની..

નેતૃત્વ કરવા માટે કેવો વ્યક્તિ પસંદ કરવો જોઈએ..

નેતૃત્વ એટલે શું આ પ્રશ્ન પણ મને સહજ થયો. જોકે નેતા અને નેતૃત્વના ગુણ વિશે ઘણું વાંચ્યું તેથી નેતૃત્વ વિશે થોડુંક લખીશ.

મારા ખ્યાલથી કોઈ પણ સંગઠનનાં સમૂહને દોરવણી આપનાર પોતાની આગવી લાક્ષણિકતાથી અલગ તરી આવે છે.અને નેતૃત્વનું પ્રવાહન કરે છે.આજ સમયમાં સંગઠનના નેતૃત્વ કરવામાં માટે લક્ષણો  આપણે તારી શકીએ છીએ..

સામાન્ય તઃ સંગઠન કે સમૂહના નેતા કે ગ્રુપ એડમીનમાં 

બુદ્ધિજન્ય લક્ષણો,

સર્વોપરિતા,

આત્મવિશ્વાસ,

ઉત્સાહ,

પ્રવૃતિમયતા અને 

સાહસિકતા જેવા ગુણો હોવા જરૂરી છે.

આગળ કહું તો બુદ્ધિ, સમજ, ખંત, મહત્વકાંક્ષા અને આશાવાદ જેવા લક્ષણો પણ હોવા જરૂરી છે.ઉપરાંત માનવીય શક્તિ પારખવાની આવડત, શુદ્ધ માનવ વ્યવહાર, સારા વ્યવહાર માટેના કૌશલ્યો પણ એટલા જ જરૂરી છે.આ નેતા કે ગ્રુપ એડમીનનાં બધાં જ ગુણો કે લક્ષણો ગ્રુપના કે સંગઠનના સભ્યોને, સાથીઓને પ્રેરવા, દોરવા અને કાર્યરત રાખવાની શક્તિ આપે છે. પરિસ્થિતિને સમજવાની સૂઝ, આવતી કાલની ભીતરમાં ડોકિયું કરી ભવિષ્યને કળી લેવાની આવડત, સમજ અને શક્તિ આપે છે. પરંતુ એ બધામાં સૌથી મહત્વનો ગુણ સંગઠનના નેતા કે ગ્રુપમાં હોવો જોઈએ તે એ છે કે નેતૃત્વ કરવા માટે પોતાનાં વ્યક્તિત્વની આહુતિ આપવી પડે છે. "હું" પણું સાથે રાખનાર વ્યક્તિ ક્યારેય કોઈ સંગઠન કે ગ્રુપનું સંચાલન કે નેતૃત્વ ન કરી શકે. બીજુ એ કે સંગઠન કે સમૂહના નેતા કે ગ્રુપ એડમીને અશક્ય લાગતાં નિર્ણયો લેવા પડે. એથી આગળ કહું તો ત્વરિત નિર્ણય શક્તિ ગ્રુપ એડમીનમાં હોવી ફરજીયાત છે. એનાં વગર નેતૃત્વ કરવું અશક્ય છે.

ડો. સોમૈયા કહે છે કે 

"સંગઠનમાં બે ચાર પ્રભાવ શાળી નેતા ના ચાલે. સંગઠનના સભ્યો જ નહીં પણ સંગઠનના નેતા કે ગ્રુપ એડમીને પણ સંગઠનનાં નીતિ નિયમો અનુસાર ચાલે ત્યારે જ સનગઠનના સંકલ્પો બધાં વાસ્તવમાં સાકાર પામે છે.

આપણે સંગઠનાત્મક સમજણને સફળતાનો શ્રેય વહેંચીને અન્ય નેતાની કદર કરીને અન્ય નેતાઓના કાર્યને સન્માન આપીને અને શાણપણ પૂર્વક કામ કરીએ તો અવશ્ય એ સંગઠન અને એ નેતા સમાજમાં પોતાનું પ્રદાન નોંધાવી શકે છે."

લાઓત્ત્સે પોતાના એક પુસ્તકમાં નેતાના પાંચ પ્રકાર જણાવે છે.

1.લોકોના ધ્યાનમાં ન આવે 

2.જેને લોકો પૂજે

3.જેનાથી લોકો ડરે 

4.જેને લોકો ધિક્કારે 

અને 

5. એવો નેતા કે ગ્રુપ એડમીન જે સંગઠન સિદ્ધિ મેળવે તો બધા સભ્યોને શ્રેય આપે. કેમ કે શ્રેષ્ઠ નેતા જ સંગઠનને તારે છે,

દોરે છે,

અને સિદ્ધિ અપાવે છે.

સંગઠનમાં નેતા વગર ચાલે જ નહીં

લાઓત્ત્સે કહે છે. આગળ કહે છે. કે,

"સંગઠન વ્યાપક હોય,

સંગઠનનું  ધ્યેય મહાન હોય,

સંગઠનનું નેતૃત્વ કરનાર વ્યક્તિમાં શ્રેષ્ઠ ગુણોના સમનયવ વાળું હોવું જોઈએ

શ્રેષ્ઠ નેતૃત્વ એટલે નેતાઓમાં સંગઠનના બંધારણના દિશા નિર્દેશન અનુસાર એકમેકના મગજને જોડીને બધાં માર્ગદર્શનને, સુચનોને ધ્યાનમાં રાખીને ત્યાગ, સમર્પણ અને નિષ્ઠા પૂર્વક નિરંતર કાર્ય કરતાં રહે અર્થાત ટિમ વર્ક સાથે સંગઠનના બંધારણને સમર્પિત રહી સતત સાથે રહીને કાર્ય કરવું એટલે શ્રેષ્ઠ નેતૃત્વ."

શ્રેષ્ઠ નેતૃત્વ અને શ્રેષ્ઠ નેતા થકી જ મહાન ધ્યેય હાંસલ કરી શકાય છે. માટે વ્યાપક રીતે વિસ્તારાયેલાં વિશાળ સંગઠનોના નેતાઓમાં લોકશાહી માનસ હોવું જોઈએ. માત્ર એક જ નેતા નિર્ણય લે અને અન્ય નેતાઓ પાસે સરમુખત્યારની જેમ કામ લે અને અન્ય નેતાઓના નિર્ણયની સહમતી આપવા દબાણ કરે તેવું નેતૃત્વ ન ચાલે. સંગઠન કોઈ બે ચાર સરમુખત્યાર શાહી વલણ ધરાવતાં નેતાના ઈશારે ન ચાલવું જોઈએ. કારણ કે તેમાં બંધારણ અને સંઘ ભાવનો ક્યાંકને ક્યાંક છેદ ઉડે છે. અને સંગઠન દીર્ઘ કાલીન ન ચાલી શકે. તે વિશાળ મહાન ઉદ્દેશ્યોને સિદ્ધિમાં રૂપાંતરીત ન કરી શકે. સંગઠન વિશાળ હોય ધ્યેય મહાન હોય  તો લોકશાહી નેતૃત્વ જ સફળતાનાં લક્ષ્યોને સાકાર કરાવી શકે. જો કોઈ નેતા મેલી મુરાદ વ્યક્ત કરે. સંગઠનને અવળી દિશામાં લઈ જવા દબાણ કરે, પ્રવાહિત કરે ત્યારે અન્ય નેતાઓએ એને સબક શીખવાડવો જોઈએ. ઘણાં સંગઠનોમાં તો એવું બને છે કે નેતાઓ સંગઠનાત્મક સત્યનો પક્ષ લે તો તેમને ષડયંત્ર થકી કુટિલ નેતાઓ દ્વારા સંગઠનમાંથી દૂર કરી દેવામાં આવે છે.જોકે આ બધું બહુમતી જોરે કરવામાં આવે છે.

શ્રેષ્ઠ નેતા તો એ છે કે પોતાની વાત સંઘની વાત ન માનનાર અન્ય નેતાઓ સભ્યોને તર્ક દ્વારા સત્ય હકીકતની પ્રતીતિ કરાવી ભૂલનો અહેસાસ કરાવી સાથે એનું મન હૃદય જીતી એમને બેવડા વેગથી કાર્ય કરતાં કરી દે અને તેથી જ મહાન ચિંતક મુકોલ્ડ કહે છે.

"મધ્યમ કક્ષાના નેતાઓ વાતો કરે છે.

સારા નેતાઓ સમજાવે છે. જ્યારે મહાન નેતાઓ પ્રેરણા આપી સંગઠનની પ્રક્રિયાને વેગવંતી બનાવે છે." પણ જ્યારે વર્ચસ્વ નેતા પોતાની વાત ન માનનાર નેતાને એનકેન પ્રકારે સંગઠનમાંથી દૂર કરે છે. ત્યારે સંગઠનાત્મક શક્તિ નાશ માપે છે. જ્યારે સંગઠનના તમામ નેતાઓની મનમાનીનું કેન્દ્રીય કરણ થઈ જાય છે ત્યારે  સંગઠન સિદ્ધિને વરે છે

પરંતુ જ્યારે જ્યારે પ્રત્યેક નેતાની મનની શક્તીઓનું વિકેન્દ્રિત કરણ થાય છે. ત્યારે સંગઠનની શક્તિ નબળી પડે છે.માટે સંગઠનના નેતાઓ વચ્ચે પરસ્પર ઊંડી સમજણ, શ્રદ્ધા સમન્વય પૂર્વકનું સહમત થવાનું શાણપણ હોવું જોઈએ. જો સહઠનના નેતા માત્ર ઉચ્ચ શિક્ષિત હોય અને તેમાં શાણપણનો અભાવ હોય તો સંગઠનને અસાધારણ સફળતા અપાવી શકતાં નહીં. માટે નેતામાં સંસ્કાર, સમજ અને શાણપણ અને સમર્પણ જેવાં સદગુણો હોવા ખૂબ જરૂર નહીં પરંતુ અનિવાર્ય છે. સંગઠન સંઘર્ષ કાળે કે કપરા કાળે સુરક્ષિત રહે તે માટે જ્યોર્જ બુશે કેટલાક સિદ્ધાંતો તારવ્યા છે.

જ્યોર્જ બુશનાં મતે "કોઈ પણ બાબતે ઉગ્ર સંઘર્ષ થાય તો તેને અંત ગણવો નહીં,

સતત ગૃહકાર્ય કરો નહીં તો તમારી વાત અન્યને સમજાવી શકશો નહીં. સંગઠનાત્મક પ્રક્રિયા કૈક આપીને મેળવવાની છે.માટે સમજાવીને કામ લો,નહીં કે ધમકાવીને. તમારા સંગઠનમાં દરેક કાર્યકરો અને સભ્યો મહત્વના છે. છેલ્લામાં છેલ્લી વ્યક્તિની જરૂરીયાત સમજો."જો આપણે સંગઠનાત્મક શક્તિ કેળવીને સફળતાનો શ્રેય વહેંચીને સંગઠન દરેક સભ્યોની કદર કરીને,અન્ય સભ્યોના કાર્યોને સન્માન આપતા રહીને શાણપણ પૂર્વક કામ કરીએ તો અવશ્ય અસાધારણ નેતા બની શકીએ. સ્ટીફન કોવિના શબ્દોમાં કહું તો "પરસ્પરની સમજણ અને સન્માન હોય. તો મતભેદો પણ નબળાઈને બદલે શક્તિમાં રૂપાંતર પામે છે."

સંગઠનને શિક્ષિત નેતાઓ નહીં પણ શાણપણ નેતાઓ સિદ્ધિઓ અપાવે છે.શાણપણ એ નેતૃત્વની આધારશીલા છે.

ડો. બાબા સાહેબનું એક કથન મને યાદ આવે છે. કે "મુજે ન બીકને વાલે કાર્યકર ચાહિયે.." જ્ઞાન ઔર સાધન કી કમી મેં પૂર્ણ કર દુગા.."

સંગઠનમાં એવાં કાર્યકરો અથવા સમૂહ કે ગ્રુપમાં એવાં સભ્યો અને ખાસ નેતાઓ કે ગ્રુપ એડમીન હોવા જોઈએ જે પોતાનાં કાર્ય પ્રેત્યે સમર્પિત અને નિષ્ટાવાન હોય.

No comments:

Post a Comment

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...