Tuesday, August 4, 2020

⚫ જીવનમાં પુસ્તકો અને વાંચનનું મહત્વ.. 📚📖


લેખન - રાહુલ વણોદ
  મો.8000739976

                                         કાલે મારા એક સન્માનનીય મિત્રએ કહ્યું કે રાહુલ ભાઈ એક આર્ટીકલ લખો ને મે કહ્યુ ક્યાં વિષયને લઈને ? એમણે મને કહ્યું કે જીવનમાં પુસ્તકનાં મહત્વ વિશે.. એમની ઉમદા ભાવના અને આર્ટીકલ વિશેની મહત્તાને જોઇને મને લાગ્યું કે ખરેખર એ વિષય પર આર્ટિકલ લખવો જોઈએ. હાલ જ્યારે ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરનો જમાનો છે ત્યાં પુસ્તકોનું મહત્વ ભુલાતું જાય છે. પુસ્તકો અને વાંચન માત્ર અભ્યાસ કાળ પૂરતા જ જાણે સીમિત થઇ ગયાં છે. ત્યારે આપણે પુસ્તકોને એક બાજુએ મૂકી દીધાં છે. હું તો માનું છું કે પુસ્તક વગરનું ઘર એ જંગલ  જેવું છે. આજના જમાનામાં માણસ માનસિક તણાવનો ભોગ બન્યો છે એવામાં પુસ્તકને જો પોતાનાં મિત્ર બનાવતા આવડે તો ઘણું ઘરું ટેન્શન અને તણાવ ઓછો થઈ શકે છે. પુસ્તક અને વાંચનનું મહત્વ દરેક વ્યક્તિના જીવનમાં હોવું જ જોઈએ. વાંચન વગર બોધિક વિકાસ શક્ય જ નથી.

                      સારા પુસ્તકો જીવનમાં અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે. સારું પુસ્તક જો વાંચવામાં આવે તો એ તમારા વિચારો બદલશે, વિચારો બદલશે એટલે તમારો સ્વભાવ બદલશે અને તમારો સ્વભાવ બદલશે એટલે તમારું આખું વ્યક્તિત્વ બદલશે જેથી તમારા વ્યક્તિત્વ લથી પ્રેરાઈને અન્ય વ્યક્તિઓ બદ લલાશે એમ કુટુંબ અને કુટુંબથી દેશના વૈચારિક પરિવર્તન આવી શકે છે. ઘણાં બા બાપ પોતાની દીકરીને પરણાવવા માટે છોકરામાં અનેક બાબતો જોશે, ઘર બાર બેંક બેલેન્સ જમીન જાયદાત વગેરે પરંતુ એ નહિ જુએ કે એ છોકરામાં બોદ્ધિક લેવલ કેટલું છે ?
એનાં ઘરમાં પુસ્તકો કેટલાં છે? દરેક માં બાપે પોતાની દીકરી એવાં ઘરમાં પરણાવવી જોઈએ જે ઘરમાં સારા પુસ્તકો જોવા મળતાં હોય જે ઘરમાં સારા પુસ્તકો વસાવવામાં અને વાંચવામાં આવતા હોય. કેમ કે સારા પુસ્તકો વાંચનાર વ્યક્તિમાં અન્યને સમજવાની શક્તિ અને સમજાવવાની શક્તિ રહેલી હોય છે ઉપરાંત પુસ્તકો અને વાંચનમાં રસ ધરાવનાર વ્યક્તિ પોતાની વિવેક બુદ્ધિના આધારે કોઈ પણ નિર્ણય લેશે.

                            પરંતુ આજકાલ આ ઇન્ટરનેટના આક્રમણ વચ્ચે ક્યાંક પુસ્તકો પરાસ્ત થતાં દેખાય છે. લોકોમાં વાંચન ભૂખ ઓછી થતી જાય છે અને લોકો સારા પુસ્તકોથી વિમુખ થતાં જાય છે જે ચિંતાજનક છે. પરંતુ જીવનમાં જેટલું વધું વાંચશો તેટલું વધું જાણશો અને જેટલું વધુ જાણશો તેટલું વધું ફરશો અને આ જાદુ માત્ર પુસ્તકો જ તમને કરાવી શકે છે. ઘણી વાર આપણે કોઈ જગ્યાએ ફરવા ગયાં હોય અને ત્યારે એનાં વિશેનો ઇતિહાસ જો તમે પહેલાથી જ વાંચેલો હશે તો એ સ્થળે ફરવાની અને એ સ્થળ જોવાની કૈક અલગ જ મજા પડી જશે. પુસ્તકો માત્ર કાગળિયા કે પૂંઠા નથી પરતું કોઈ પુસ્તક તમે હાથમાં લેશો તો ખબર પડશે કે પુસ્તકોમાં કોઈ મહાપુરુષના વિચાર જીવે છે, એમાં હજારો વર્ષોનો ઇતિહાસ ધબકતો છે.
એમાં કોઈનો અનુભવ બોલતો હશે,
એમાં વિજ્ઞાન પડ્યું છે.
એમાં ઈશ્વરીય તત્વ પડ્યું છે. જે તમને એક અલગ જ વ્યક્તિ બનાવી શકે છે. સારા પુસ્તકનો કોઈ એક વિચાર તમારા જીવનને એક નવી દિશા આપી શકે છે.
આજે વિજ્ઞાનની જે પણ શોધ ખોળ થઈ છે એને પેઢી દર પેઢી આગળ ધપાવવાનું કામ પુસ્તકોએ જ કર્યું છે.
જો પુસ્તકો જ ન હોત તો આજે આપણે જે હજારો વર્ષનો ઇતિહાસ જાણીએ છીએ એ ઇતિહાસ ક્યારનોય સમયના પ્રવાહમાં તણાઈને સુસ્ક થઈ ગયો હોત.
કોઈ પણ વ્યક્તિ જ્યારે નવલકથા લખે એમાં એ પાત્રો કશુંક શિખામણ આપતાં હોય છે, વાર્તા લખે એમાં જીવનનો કશોક સાર હોય છે,
કવિતા લખે કે ગઝલ લખે તો એમાં સર્જકની વેદના અને લાગણી છલકાતી જોવા મળતી હશે,
નિબંધ લખે તો એમાં પ્રકૃતિ કે ધરતીનું ગાન હશે.
એમ કોઈ પણ સાહિત્ય સ્વરૂપ હોય એ સાહિત્ય સ્વરૂપમાં કોઈને કોઈ વિચાર પડેલો છે, સચવાયેલો છે.
સારા પુસ્તકો વ્યક્તિને સમજ આપે છે. જીવનનો સાર, નિચોડ આપે છે. વ્યક્તિનાં જીવનમાં ઉત્કૃષ્ઠ વિચારોનુ રોપણ સારા પુસ્તકો જ કરી શકે. સારા પુસ્તકો વાંચવાથી પહેલાં જે સંકુચિત માનસિકતા હોય એમાં બદલાવ આવે છે. સમાજે, કુટુંબે થોપેલા પૂર્વગ્રહો દૂર થાય છે અને પુસ્તકો પૂર્વગ્રહ યુક્ત બુદ્ધિ અને શક્તિનો સંચાર કરે છે. અને આપણી વૈચારિક અને કલ્પના શક્તિને એક નવો આયામ આપે છે.
આજે તો જે જોઈએ એ વિષય પર અઢળક પુસ્તકો ઉપલબ્ધ છે તો શા માટે આપણે એનો લાભ ન લઈએ ?
મનગમતા વિષય નક્કી કરો અને એ વિષયને લગતા પુસ્તકો વસાવવાનું અને વાંચવાનું આજે જ સરું કરી દો. જે વિષયની આપણે ને ઓછી જાણકારી હોય અથવા હોય જ અહી એવા પુસ્તકો ભરપૂર વાંચો જેથી જ્ઞાનનો ભંડાર અને સંચાર બુદ્ધિમાં થવાનો શરૂ થઈ જશે એનાંથી એ વિષય વિશે જાહેરમાં તમે બોલી શકશો એનાં થકી તમારા આત્મ વિશ્વાસમાં પણ વધારો થતો જોવા મળશે. જ્ઞાન એ દુઃખદ પરિસ્થિતિમાં પણ તમને અડગ રહેતાં શીખવશે અને એ બધું માત્ર સારા અને ઉત્તમ પુસ્તકોના વાંચનથી જ શક્ય બનશે.

                     વાંચન વગરના માણસનું મગજ અને વિચાર શક્તિ અમુક હદમાં સીમિત થઈ જાય છે જ્યારે વાંચન પ્રિય વ્યક્તિ વ્યાપક અર્થમાં વિચારી શકશે એટલું જ નહિ વાંચનથી કલ્પનાશક્તિમાં પણ અસાધારણ વધારો થાય છે. કવિઓ અને લેખકોનાં સાહિત્યમાં વિશેષ રીતે કલ્પના શક્તિ જોઈ શકો છો એ વાંચનનો કમાલ છે. વાંચન એ તમારી કલ્પના શક્તિને પાંખો આપે છે. પુસ્તકમાં કોઈ નવા સ્થળ વિશે તમે ઘરે બેઠા જ વાંચીને માહિતી મેળવી શકો છો. જાણી શકો છો.
ઘણા ખરા વાર્તાકારો કલ્પના શક્તિ નો ભરપુર ઉપયોગ કરી વાર્તા કે નવલકથા લખે છે એ વાંચવામાં સમય ક્યાં નીકળી જાય છે એ ખબર જ નથી પડતી. એટલા તરબોળ થઈ જવાય છે. કોઈ ઐતિહાસિક નવલકથા કે વાર્તા વાંચતી વખતે એમ જ થાય કે વાર્તાનાં પાત્રો આપણી સામે જ જીવંત ઊભા છે. પુસ્તકમાં એટલી તાકાત છે કે તમને એક દુનિયામાંથી બીજી દુનિયામાં લઈ જઈ શકે છે. અને ગમે ત્યારે એ દુનિયામાંથી પાછા પણ લાવી શકે છે. આ પ્રકારનું જાદુ માત્ર પુસ્તકો જ કરી શકે. માણસનાં સ્વસ્થ શરીર માટે જેમ કસરત જરૂરી છે એમ બુદ્ધિ કે મગજનાં વિકાસ માટે સારા પુસ્તકોનું વાંચન જરૂર છે. કેમ બંધ રૂમમાં ખુલ્લી બારી માંથી આવતી હવા રૂમને ફ્રેશ રાખે છે એમ પુસ્તક રૂપી બારી એ જ્ઞાન રૂપી હવાથી બુદ્ધિ રૂપી રૂમને ફ્રેશ રાખે છે.

                          મહાન ખગોળશસ્ત્રી કાર્લ સાગન તેથી જ તો કહે છે કે "પુસ્તકો વગરનો રૂમ બારીઓ વગરનાં રૂમ જેવો છે."
આપણો કોઈ મિત્ર આપણને જ્ઞાન આપે તો બદલામાં કશુંક લેય જ અથવા ક્યારક એ આપણી પાસેથી કશુંક અપેક્ષા રાખે જ. જ્યારે પુસ્તકો તમને કોઈ અપેક્ષા વગર જ્ઞાન આપે છે. ક્યારેય રિસાય પણ નહિ !
પુસ્તકો સમયના બંધન તોડી નાખી છે અને તમને એ વ્યક્તિથી પરિચિત કરાવે છે. એ વ્યક્તિનાં જ્ઞાનથી પરિચિત કરાવે છે જે વર્ષો પહેલાં, યુગો પહેલાં તમારી વચ્ચેથી સહદેહે વિદાય પામ્યો છે. પરંતુ એનાં વિચારો એ પુસ્તકમાં સદાય માટે જીવંત રહે છે જેને તમે ગમે ત્યારે વાંચી શકો છો. કોઈ પણ મહાન વ્યક્તિ જે સહ દેહે આપણી વચ્ચે ના હોય તો એના સાહિત્ય થકી એ મહાપુરુષને બહુ નજીકથી જાણી અને સમજી શકાય છે. આ કેટલી અદભૂત અને આશ્ચર્યજનક વાત.. !!!!
લેખન અને વાંચન કદાચ વિશ્વની મહાન શોધ છે.

                      પુસ્તકો એકાગ્રહતા અને આત્મિશ્વાસ વધારવાનું હાથવગું સાધન છે. અને સમજણ શક્તિ અને વિચારશક્તિ ખીલવે છે. કલ્પના શક્તિ ખીલવે છે. નવો દૃષ્ટિકોણ આપે છે. નવા ધ્યેયો અને વિચારો આપે છે. વળી પુસ્તકો આપણા વ્યક્તિત્વને અપડેટ કરી આપે છે.
ક્યારેક કોઈ લેખકનો લેખ વાંચી અથવા કોઈ કવિની કવિતા કે ગઝલ વાંચીને અથવા કોઈ સર્જકની વાર્તા કે નવલકથા વાંચીને આપણે પણ કવિતા, ગઝલ કે વાર્તા લખવાનો વિચાર આવે જ છે અને ક્યારેય આપણે લખીએ પણ છીએ આપણું લખાણ ભલે સાહિત્યની દ્રષ્ટિએ ખરું નાં ઉતરે પરતું આપણને કશુંક નવું કરવા જે પ્રેરણા મળી એ પુસ્તક વાંચનથી જ મળી એ સહજ સ્વીકારવું પડે ! ઘણાં મિત્રોની એવી ફરિયાદ હોય છે કે વાંચવું તો છે પણ વાંચનનો કંટાળો આવે છે તો એનાં માટે એક ચોક્કસ વ્યવસ્થા ગોઠવી આગળ વધી શકાય છે જેના કારણે વાંચન પ્રત્યે રસ જાગે એવી પ્રવુતિ કરી શકાય.
જેમ કે શરૂઆત આ રીતે પણ કરી શકાય કે,
- સૌ પ્રથમ તો કોઈ મનગમતો વિષય પસંદ કરો.
- ત્યાર બાદ એ વિષયને લગતા પુસ્તકો વસાવો અથવા કોઇ મિત્ર પાસે એ વિષયના પુસ્તકો હોય તો લઈ આવો.
- શરૂઆત નાના અને ઓછા પેજ   વાળા પુસ્તકોથી કરો. જેથી   વાંચવામાં કંટાળા જેવું ના લાગે અને ઓછા સમયમાં વાંચી શકાય
- પછી નક્કી કરો કે રોજ દસ મિનિટ સુધી અથવા રોજ 10 પેજ જરુર વાંચીશ
- નક્કી કરેલાં ધ્યેયને પૂર્ણ કરવા શક્ય એટલો પ્રયાસ કરો.

વાંચનથી ઘણાં ફાયદા થાય છે જે ઉપર મે જણાવ્યા છે તે છતાં ફરી રીપિટ કરું છું. જેથી તમારા ધ્યાને આવે.
- ખુદનાં માટે સમય મળશે
- વાંચવાથી લેખન શક્તિ અને પ્રતિભા વધશે.
- શબ્દ ભંડોળ વધશે અને ભાષા ઉપર પ્રભુત્વ અને પકડ વધશે.
- માનસિક તણાવ દૂર થશે
- રાત્રે સૂતા પહેલાં વાંચન કરશો તો ઊંઘ સારી આવશે.
અને
- સ્પર્ધાતમકતા પરીક્ષાઓ અને અભ્યાસમાં તો ઉપયોગી થશે જ.

                         આમ અન્ય પણ ઘણાં ફાયદા છે પુસ્તકો વાંચવાના પરતું અમુક અશ્લીલ અને અંધશ્રદ્ધા ફેલાવતા પુસ્તકો નુકશાનકારક પણ છે જ. આપણે સારા અને નસરા પુસ્તકો વચ્ચેનો ભેદ ખબર હોવી જોઈએ. જે પુસ્તકો અંધશ્રદ્ધા અને કટ્ટરતા શીખવતા હોય એવા પુસ્તકોથી દૂર રહેવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી એવા પુસ્તકોનો બહિષ્કાર કરવો જોઈએ. ડો. આંબેડકરનો પુસ્તક પ્રેમ જગ પ્રખ્યાત છે. લાખો પુસ્તકો એમણે વાંચેલા અને કેટલાય પુસ્તકો લખેલાં તે છતાં તેમણે અંધશ્રદ્ધા અને અસમાનતા ફેલાવતાં મનુસ્મૃતિ જેવાં પુસ્તકને જાહેરમાં સળગાવીને સ્પષ્ટ કરી દીધું હતું કે ખરાબ પુસ્તકો માનવતાનાં દુશ્મન હોય છે. જેને માનવ મનમાં કદી સ્થાન ન મળવું જોઈએ.
પરતું સારા પુસ્તકોનું વાંચન કરનાર જ્ઞાની પુરુષ સર્વત્ર જગ્યાએ સન્માન પામે છે.
ગુજરાતી સાહિત્યના બહુ મોટા ગજાના કવિ કલાપીએ પોતાનાં પુસ્તક પ્રેમ વિશેનો પ્રેમ વ્યક્ત કરતા કહ્યું હતું કે,
"જીવીશ, બની શકે તો એકલાં પુસ્તકોથી.."
રવીન્દ્રનાથ ટાગોર વાંચનનું મહત્વ સમજાવતા કહે છે કે આંખ સામે રહેલી વસ્તુઓનું જ્ઞાન મેળવવા માટે પણ પુસ્તકો વાંચવા જરૂરી બની જાય છે.
મોન્ટેગ્યું કહે છે જ્યારે તમે કંટાળી જાવ ત્યારે જો તમે પુસ્તક હાથમાં લેશો તો તમને જીવનમાં રસ, કુતુહલ અને નવજીવન પ્રાપ્ત થશે.

                પરતું આજે ભારતની જો વાત કરીએ તો કોલેજો અને યુનિવર્સિટીઓનાં પુસ્તકાલયોનાં કબાટમાં પુસ્તકો ધૂળ ખાતા નજરે પડે છે. નવી પેઢી વાંચન અને પુસ્તકથી વિમુખ થતી જોવા મળે છે. જે દુઃખદ છે. આધુનિક સમયમાં કમ્પ્યુટર અને મોબાઈલ આવી જતાં પુસ્તકો અસ્પૃશ્ય બની ગયાં છે. મોબાઈલમાં પબજી, ફેસબુક અને વો્સએપમાં આજનું યુવાધન મોટા ભાગનો સમય વેડફી રહ્યો છે. અને પુસ્તકો માત્ર પરિક્ષા સમયે જ યાદ આવે છે. તેથી શિક્ષણ વિભાગ, કોલેજ અને યુનિવર્સિટીઓ પુસ્તક પ્રદર્શન, પુસ્તક મેળો જેવા આયોજન કરી નાગરિકો અને યુવાનોને પુસ્તકોની નજીક લાવવાનો પ્રયત્ન કરતાં રહે છે. જોકે આધુનિક સમયમાં પણ પુસ્તક પ્રેમીઓ તો મળી જ રહે છે. ઘણાં મિત્રોનાં ઘરમાં ક્યારેય પુસ્તકાલય જેવો નજારો જોવા મળે છે ત્યારે લાગે છે. પુસ્તક પ્રેમીઓ આજે પણ જીવંત છે. પરતું તે છતાં આજે બજારોમાં ઘણી વાર જોઉં છું કે ચપ્પલ આલીશાન કાચના શો રૂમમાં ગોઠવાયેલા જોવા મળે છે જ્યારે પુસ્તકો નાની દુકાનો, લારીઓ અને ફૂટપાથો પર વેચતા જોવા મળે છે. આવા દ્રશ્યો જે દેશમાં જોવા મળે ત્યાંના નાગરિકોનું બોદ્ધીક પતન થાય છે. એવાં
દેશમાં ડોક્ટર વકીલ અને વૈજ્ઞાનિક ઓછા અને અંધશ્રધ્ધામાં ડૂબેલાં લોકો વધુ જોવા મળે છે.
આપણે આશા રાખીએ કે દેશમાં પુસ્તક અને વાંચનનું મહત્વ વધે એવા સરકારે પ્રયત્નો કરવા જોઈએ...

છેલ્લો થોટ...

પુસ્તકો રોડ પર અને જૂતા શોરૂમમાં વેચાશે ત્યારે સમજી જજો કે લોકોને જ્ઞાનની નહિ પણ જુતાની જરૂરત છે..

10 comments:

  1. ebooks in Digital Era 🙏😀🙏

    ReplyDelete
    Replies
    1. જી સાહેબ સત્ય🌷🙏✔️

      Delete
  2. Rahul bhai Aapnu Khub saras lekhan karya che ...Aapno Aa Artical vachi Ne khub Aanand Thayo.. Ane Aapno Aa lekh darek vachnar vyakti Ne prenadayi bani rahe tevi bav badhi subhechhao...

    ReplyDelete
    Replies
    1. જી જી સાહેબ..
      ખૂબ ખૂબ આભાર માને પણ આનંદ થાય છે આપ જેવા મિત્રો મારા આર્ટિકલ વાંચે છે ત્યારે.. હું તો પણ હાલ શીખી જ રહ્યો છું.
      🌷🙏✔️

      Delete
  3. વાહ રાહુલ સાહેબ ....ખૂબ આનંદ થાય સે જ્યારે તમારા આર્ટિકલ વાંચું શુ ત્યારે ...જીવન માં પુસ્તકો નું મહત્વ હોવું જ જોઈએ ....વાંચો,આગળ વધો....

    ReplyDelete
  4. સુપર ભાઈ બવ વાચન પછી આવી રીતે લખી શકાય b the best

    ReplyDelete
    Replies
    1. જી સાહેબ
      ખૂબ ખૂબ આભાર તમારો..
      સાદર પ્રણામ નમન🌷🙏

      Delete
  5. जय भीम आगे बढ़ो

    ReplyDelete
    Replies
    1. જય ભીમ સાહેબ..
      આભાર🌷🙏

      Delete

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...