Tuesday, April 20, 2021

લોક વિચાર ઘડવામાં લેખકો અને વર્તમાન પત્રો ખૂબ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે.



                                 લેખન-  રાહુલ વણોદ
                                 મો.8000739976


          હમણાં 18 એપ્રિલે રમેશ ઓઝા નામક વ્યક્તિએ ભારતીય બધાંરણમાં બાબા સાહેબની ભૂમિકા અને મહત્વ ઓછું આંકતો એક લેખ વર્તમાન પત્રમાં પ્રસારિત કરેલો. સ્વાભાવિક છે કે સંદેશ, દિવ્ય ભાસ્કર અને ગુજરાત સમાચારમાં અવારનવાર વૈદિક અને હિંદુ ધર્મના હિમાયતી અને મનુવાદી જેવી હલકી માનસિકતા વાળા કુલેખકો દ્વારા લખવામાં આવેલ લેખો છાપવામાં આવે છે. અને ડો. આંબેડકરના અનુયાયીઓની લાગણીને ઠેસ પોહચાડવાનું દુસાહસ કરતાં રહે છે.જોકે આ પ્રથમ વખત નથી. અવારનવાર ઉજળિયાત વર્ગના લેખકો દ્વારા આ પ્રકારની કુચેષ્ઠા કરવામાં આવે છે. અથવા આમ કરાવવામાં આવે છે. ડો. આંબેડકર જીવતા હતાં ત્યારે પણ મનુવાદી છાપાઓના તંત્રીઓ ડો. આંબેડકર વિશે પોતાની હલકી માનસિકતા પ્રદર્શિત કરવાનો કોઈ મોકો છોડતા નહતા.

           આવું હજુ પણ થતું રહેશે એમાં નવાઈ નથી એ લોકોના લોહીમાં જ છે કે ઉજળિયાત વર્ગ સિવાયના અન્ય વર્ગમાંથી આગળ આવેલ મહાપુરુષોના મહત્વને ઓછું આંકવું.બહુજન મહાપુરુષોની જન્મ જયંતિ હોય, મોહોત્સવ, સભા, રેલી કે અન્ય કોઈ કાર્ય હોય તેને આ મનુવાદીઓ વૈદિક સંસ્કૃતિના હિમાયત કરતાં લોકોએ અવગણના જ કરી છે. ગયાં વર્ષે આપણાં એક કેન્દ્રીય  સંસદ સભ્ય મૃત્યુ પામ્યાં તેની નાની એવી નોંધ સુદ્ધા પણ ન લીધી મીડિયાએ. પણ જો એજ કેન્દ્રીય મંત્રી કહેવતી ઉચ્ચ જ્ઞાતિનો હોત તો  એકાદ બે લેખ તો જરૂર છાપ્યા હોત. એમાં જન્મથી માંડી સંસદ સભ્ય સુધીની સફર વિશે લખ્યું હોત. માયાવતીજી કે લાલુજી ના જીવન સંઘર્ષ વિશે મહત્વની વાતો પણ કદી મીડિયા બતાવશે નહીં,હા બહુજન મહાપુરુષો વિશે કશું ઉતરતી કક્ષાનું  કે અપમાનિત કરતું કશું લખવું હોય તો કોઈ કસર નહીં છોડે આ દલાલ મીડિયા. કાંશીરામ સાહેબ વિશે પણ બહુ ઓછું મીડિયામાં બતાવતાં.

ભૂતકાળ પણ "અમદાવાદ સમાચાર", "ગુજરાત મિત્ર", જેવા સામયિકો અને વર્તમાન પત્રો એ પોતાની રૂઢિવાદી માનસિકતા છતી કરી છે. ગુજરાતી વર્તમાન પત્રોએ સમયે સમયે પોતાની રૂઢિવાદી માનસિકતા છતી કરી છે. અને અસ્પૃશ્યો  અને તેમના નાયકોને ઉણા ચિતરતા લખાણો અવારનવાર પોતાનાં સામયિકોમાં છાપાતા રહ્યાં છે.

 સવાલ એ થાય છે કે આપણે એમને વળતો જવાબ શી રીતે આપીએ છીએ !!? સોશ્યલ મીડિયામાં એકાદ બે પોસ્ટ મુકીશું, થોડી ઘણી ચર્ચા કરીશું બસ..એટલું જ.
અહીં સુધી જ મર્યાદિત છે. આપણો ગુસ્સો. આપણે કોઈ સબળ માધ્યમ વિકસાવવું જોઈએ. આપણો ગુસ્સો અને અવાજ માત્ર સોશ્યલ મીડિયા પૂરતો સીમિત ન રાખવો જોઈએ. રમેશ ઓઝાએ વર્તમાન પત્રમાં પોતાની ગંદી માનસિકતા રજૂ કરી છે તો આપણે પણ ઇટનો જવાબ ઇટથી આપવો જોઈએ. પરંતુ આપણી પાસે મર્યાદિત સ્ત્રોત છે સોશ્યલ મીડિયા સિવાય. હાલ કેટલાક પ્રકાશકો અને આપણાં લેખકોએ રમેશ ઓઝા જેવા કેટલાય મનુવાદીઓને પુસ્તકો, લેખો લખી કરારો જવાબ આપ્યો છે. તેમને ધન્યવાદ દેવા પડે. પરંતુ હજુ મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રે જેટલું જોઈએ તેટલું બહુજન સાહિત્યનું ખેડાણ નથી થયું. આપણે બહુજન સમાજનું મીડિયા ઉભું કરવામાં ક્યાંક ને ક્યાંક ઉણા ઉતર્યા છીએ. બહુજન મીડિયા વિકસાવવામાં આપણી ઉદાસીનતા ઉડીને આંખે વળગે એવી જરૂર છે.

              પત્રકારત્વ ક્ષેત્રે આગળ ડગ માંડવામાં આવે તો ઓઝા, વોરા અને સંઘવી જેવાઓને જવાબ આપવામાં સરળતા રહે. સમાજનું ખુદનું સાહિત્ય અને મીડિયા જરૂરી છે. અને સાથે સાથે એમાં કામ કરતાં પત્રકારો અને તંત્રીઓને આવકનો સ્ત્રોત મળી રહે તે પણ અગત્યનું છે. યુવાનો એ પણ પત્રકારત્વ ક્ષેત્રે અને વાંચન, લેખન પરત્વે રસ રુચિ દાખવવા જોઈએ. જેથી બહુજન મીડિયાનો પાયો મજબૂત બને. કેમ કે જે સમાજમાં લેખકો અને વર્તમાન પત્રો જેટલાં મોડા પેદા થાય છે તે સમાજ ઉન્નતિ અને પ્રગતિમાં એટલો જ પાછળ રહે છે.

             મને નેપોલિયન બોનાપાર્ટે કહ્યું છે તે વાક્ય યાદ આવે છે કે, "મને આ બંદૂકનો ડર લાગતો નથી, જેટલો એક વર્તમાન પત્રનો ડર લાગે છે." કહેવાય છે કે હિટલર, પોતાના હાથ નીચે વર્તમાન પત્રોને કારણે સત્તા સુધી પોહચ્યો હતો. સત્તા રૂઢ થવા માટે મીડિયા બ્રહ્માસ્ત્ર સાબિત થાય છે. લોકવિચાર ઘડવામાં ખૂબ મહત્વની ભુમિકા અદા કરે છે મીડિયા. ઉપરાંત શિક્ષણ અને જ્ઞાન આપવાનું કાર્ય પણ કરે જ છે.જોકે આંબેડકરવાદી પત્રકારો અને સામયિકો હવે ઉગતા જાય છે એનો આનંદ છે.


1 comment:

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...