જૂનાગઢ એક સમયે ગુજરાતનું મહત્વનું બૌદ્ધ ધમ્મનું કેદ્ર રહ્યું હશે. કેમ કે જૂનાગઢમાં ઘણી બધી જગ્યાએ ગુફાઓ મળી આવી છે. એવી જ ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ છે. પૂરાત્વવિદોનું માનવું છે કે મહાન સમ્રાટ અશોકનાં સમયમાં આ ગુફાઓ બનાવવામાં આવેલ છે. આ ગુફાઓનું માળખું જોતા તે સમયના બાંધકામ વિશે આપણને આશ્ચર્ય લાગે ! એ સમયની એન્જીનીયર કળા પણ કેટલી અદ્ભૂત અને વિકસિત !! બૌદ્ધ સાધુઓ અહીંયા વર્ષા વાસ માટે આવતા હશે.
પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ ગુફાઓ સ્વચ્છ અને ક્ષતિ રહિત જોવા મળે છે.આ ગુફાઓ જોજો મિત્રો આપણાં ભવ્ય વારસા પર ગર્વ થશે.
- રાહુલભાઈ વણોદ
મો.8000739976
17/01/2022
No comments:
Post a Comment