Thursday, May 21, 2020

દશરથ માંઝી દ્વારા "અનુસૂચિત જાતિ હિત રક્ષક સમિતિ" ના સહયોગથી 20 પરપ્રાંતીય શ્રમિકોને બિહાર મોકલવામાં આવ્યાં..


હાલ જ્યારે કોરોનાંએ સમગ્ર ગુજરાતમાં માઝા મૂકી છે એવામાં સરકાર તરફથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેથી ગુજરાતમાં યુ.પી, એમ,બિહાર અને એવા કેટલાય રાજ્યોમાંથી પરપ્રાંતીય મજૂરો પોતાનું પેટીયું રળવા માટે ગુજરાત રાજ્યમાં આવે છે. પરંતુ લોકડાઉન જાહેર થતાં જ મજૂરોનું કામ કાજ બંધ પડ્યું, મજૂરો જે તે સ્થળે કામ કરે છે ત્યાંના માલિકોએ પણ એમને અનાજ કે કરિયાણું આપવાની તસ્દી લેતા નથી. એવામાં મજૂરોએ રહેવા જમવાની પારાવાર તકલીફ પડી રહી છે, ઉપરાંત પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ તો ત્યારે સર્જાઇ જ્યારે ગુજરાતમાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો અને મજૂરોને પોતાનાં વતન જવા માટે વાહન પણ મળવાના બંધ થઈ ગયાં. એટલે મજૂર વર્ગને દુઃખોનો પહાડ તૂટ્યો હોય તેવી આફત સર્જાઈ છે. અને તેઓ ચાલીને પોતાના વતન જવા માટે મજબૂર થવું પડ્યું હતું. આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લાનાં દસાડા તાલુકામાં બન્યો જ્યાં બાજુના જ ગામના દશરત માંઝી નામના યુવાનને ભિખારી જેવી હાલતમાં એક વ્યક્તિને જોઈ તેની પાસે જઈને દશરત ભાઈએ પૂછ પરછ કરી તો એમને માલુમ પડ્યું કે તે વ્યક્તિ ચાલીને બિહાર જવા નીકળ્યો છે. માનવતાં ધર્મને વરેલાં દશરથભાઈથી તે વ્યક્તિની હાલત ન જોવાતા તેમણે તે વ્યક્તિને દસાડા એક બંધ ખંડીયાર હોટલમાં રોકાયેલા કેટલાક બિહારના મજૂરો વિશે જાણવા મળ્યું. તેથી તેમણે તે વ્યક્તિને ત્યાં હોટલે લઈ જઈ ત્યાં રોકાયેલા કેટલાક મજૂરો પાસે મુકવા ગયાં. ત્યાં હોટલમાં જતાં અન્ય બિહારના મજૂરોની કફોડી હાલત વિશે જાણીને દશરતભાઈનું હૃદય દ્વવી ઉઠ્યું કેમ ત્યાં બંધ ખંડિયાર જેવી હોટલમાં રોકાયેલા વીસથી વધુ મજૂરોને જમવાની કે પાણીની કોઈ સગવડ હતી નહીં એ મજૂરો પાસે કોઈ પૈસા પણ હતા નહીં કે તેઓ જમવાની કે પાણીની વ્યવસ્થા કરી શકે. સરકારે પણ માત્ર ખોખલા અને બોદા વાયદા કર્યા પણ મજૂરોની મદદ કરી નહીં. આ જોઈ દશરતભાઈએ એ મજૂરોને કહ્યું કે અમારું "અનુસૂચિત જાતિ હિત રક્ષક સમિતિ" ગ્રુપ માનવતામાં માને છે તેથી તમે બધા ચિંતા ન કરો એમણે મજૂરોને આગળ કહ્યું કે જ્યાં સુધી તમને તમારા વતનમાં પહોંચાડી ના દઈએ ત્યાં સુધી તમારો જે પણ ખર્ચ થશે. એ ખર્ચ અમારું ગ્રુપ પૂરો પાડશે. અને દશરતભાઈએ અને એમનાં "અનુસૂચિત જાતિ હિત રક્ષક સમિતિ.." ગ્રુપના સભ્યોએ મજૂરોને ત્રણ ત્રણ દિવસ ચાલે એટલું કરિયાણું લઈ આપ્યું અને પાણીની પણ વ્યવસ્થા કરી આપી. ત્યાર બાદ સ્થાનિક પ્રશાસનને જાણ કરી અને એ મજૂરોને બિહાર જવા માટે ટ્રેનના ભાળાની પણ વ્યવસ્થા કરી આપી.એ પણ એક પણ રૂપિયો લીધા વગર. આ માનવતાં કાર્યમાં એમને ગ્રુપનાં અરજણભાઈ, એલ. એસ.પરમાર, રસિકભાઈ સોમેશ્વરા(વકીલ), મિનાજ ખાન(પત્રકાર), પ્રવીણભાઈ(વકીલ) અને જીતુભાઇ બંસલે ખૂબ જહેમત ઉઠાવી હતી. દશરતભાઈના જણાવ્યા મુજબ જો તેઓ મજૂરોની મદદ માટે એક દિવસ પણ લેટ થાયા હોત તો મજૂરો ચાલીને બિહાર જવાના હતાં. પણ સદ્ નસીબે સમયસર તેઓ મજૂરોની મદદે પહોંચી ગયાં હતાં.
આજના સમયે જ્યારે મજૂરોને જીવવા કરતાં મરવું વધુ સારું એવી હાલત છે અને સરકાર પણ જાણે આંખ આડા કાન કરે છે એવામાં "અનુચિત જાતિ હિત રક્ષક સમિતિ.." જેવા ગ્રુપ અને ટ્રસ્ટો મજૂરોની વારે આવ્યાં છે અને પણ કોઈ સ્વાર્થ વગર માનવતાના નાતે મજૂરોની મદદ કરે છે. દશરતભાઈ જેવા યુવાનો ખરેખર સમાજને એક નવી રાહ બતાવે છે, એ રાહ એટલે માનવતાની રાહ.. ખરેખર એમણે અને એમના ગ્રૂપને ખૂબ ખૂબ અભિનંદન  આપવા પડે માણસને માણસ સમજીને માનવતા દાખવવા બદલ.. 

            - રિપોર્ટર રાહુલ, વણોદ
             મો.8000739976





6 comments:

  1. We should help each other 🙏🤨🙏

    ReplyDelete
  2. રાહુલભાઈ અને ખાસ દશરથ માંઝી સાહેબ નો..ખૂબ ખૂબ આભાર

    ReplyDelete

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...