Tuesday, May 26, 2020

કેશ મુંડન વિશે કેટલુંક જાણ્યું- અજાણ્યું...

આપણે નાના હોઈએ ત્યારે કોઈ મુંડન કારવેલ વ્યક્તિને જોઈએ એટલે એની મજાક બનાવીએ છીએ. સ્કૂલમાં તો કોઈ બાળક મુંડન કરાવીને આવે એટલે બિચારને "ટંકો બોળો.." કહીને એને ચીડવતાં હોઈએ છીએ. મુંડન એટલે માથાનાં વાળ ઉતરાવવાની ક્રિયા દરેક ધર્મ અને સમાજમાં અને વ્યક્તિનાં જીવનમાં મુંડનનું મહત્વ રહેલું છે. મુંડન કરાવવાની પ્રથા સદીઓથી ચાલી આવે છે. એનાં ઘણા ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો રહેલાં છે.બૌદ્ધ ભીખ્ખુઓમાં તો મુંડનનું એક આગવું જ મહત્વ રહેલું છે. હિન્દૂ ધર્મમાં મુંડનને સોળ સંસ્કાર માનાં એક સંસ્કારનો ભાગ માનવામાં આવ્યો છે.હાલ તો મુંડન કરાવવાનું વૈજ્ઞાનિક કારણ લોકો ભૂલવા લાગ્યાં છે અને એનું સ્થાન અંધશ્રદ્ધાએ લીધું છે અને તેથી તિરુપતિ બાલાજી મંદિર અને ગંગા નદીના ઘાટ પર મોટી સંખ્યામાં લોકો કેશ મુંડન કરાવે છે.એ લોકોનાં વાળ મંદિરનાં પૂજારીઓ અથવા મંદિરના ટ્રસ્ટીઓ વેચી મારે છે અને કરોડો, અરબો રૂપિયા કમાય છે.

                     એક સર્વે મુજબ તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રતિદિન વીસ હજાર લોકો મુંડન કરાવે છે અને તેથી ત્યાં છસ્સો જેટલાં નાઈ વાળ કાપવા માટે રાખવામાં આવ્યાં છે.લોકોનાં વાળ મંદિરનાં પૂજારીઓ અથવા મંદિરના ટ્રસ્ટીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં વેચી મારે છે વાળ જેટલાં લાંબા તેટલી કિંમત વધારે મળે છે. વાળને વેચીને તિરુપતિ બાલાજી મંદિર અને ભારતના અન્ય મંદિરો ડોલરો કમાય છે ભારતીય રૂપિયામાં એનાં કરોડો, અરબો રૂપિયા થાય છે. તમને જાણીને નવાઈ થશે કે વર્ષ 2014-15 માં તિરુપતિ બાલાજી મંદિરે માત્ર લોકોના વાળના જ 200 કરોડ કમાયા હતાં.સારા લાંબા વાળ હોય તો કીલો વાળના 12 હજાર સુધી મળી રહે છે. સુંદર અને દેખાવડો ચહેરા માટે આંતરરાષ્ટ્રીય બજારમાં નકલી વાળની વિગ બનાવવા આવે છે. જેથી મંદિરમાંથી ઊંચી કિંમતે વાળ ખરીદવામાં આવે છે. આફ્રિકામાં નકલી વાળનું બહુ મોટું બજાર પણ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વાળને "કાળું સોનુ" પણ કહેવામાં આવે છે.


      હિન્દૂ ધર્મમાં તો એક સમયે વિધવા થયેલી સ્ત્રીને પણ કેશમુંડન  કરાવવા આવતું અને એને પતિ સાથે જીવતાં જ એનાં પતિના અગ્નિસંસ્કાર વખતે અગ્નિમાં પતિના શબે લઈને સતી થઈ જવું એવી પ્રથા પ્રચલિત હતી. પછી ભલે એ વિધવા સ્ત્રી યુવાન જ કેમ ના હોય !? (સતી પ્રથાની વાત પછી ક્યારેક હાલ વાત મુંડનની કરવી છે.) સ્ત્રીની ઈચ્છા હોય કે ના હોય એ વિધવા થાય એટલે એનું કેશમુંડન ફરજીયાત કરવામાં આવતું. હાલ એવું નથી રહ્યું. જોકે આ બાબતે કેટલાય ધાર્મિક અને વૈજ્ઞાનિક(સતી પ્રથાને બાદ કરતાં) કારણો રહેલા હોઈ શકે એ સંશોધનનો વિષય છે.
               મુંડનને હવે તો હથિયાર તરીકે અથવા તો વિરોધ પ્રદર્શન માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે કેટલાક લોકો મુંડન કરી સરકાર વિરુદ્ધ નવતર વિરોધ પ્રદર્શન કરે છે. હમણાં જ સુરતના પાંડેસરામાં પચાસ જેટલાં શ્રમિકોએ મુંડન કરાવી પોતાના વતન જવા માટે સરકાર વિરુદ્ધ વિરોધ કરવાની રીત અજમાવી હતી.


હાલ જ્યારે કોરોનાં કહેર ચાલી રહ્યો છે એવામાં ડોક્ટરોનું કહેવું છે કે, કોરોના વાયરસ માથાના વાળમાં ચોંટી શકે છે. ત્યાંથી શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે અને તેથી કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે લોકોમાં કેશમુંડન કરાવવાની જાણે એક ફેશન ચાલતી હોય એમ બધા મુંડન કરાવી રહ્યાં છે. આગ્રાના પોલીસ સ્ટેશન ફતેહપુર સીકરીની પોલીસે પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર સહિત 75 પોલીસકર્મીએ સામૂહિક મુંડન કરાવી લીધું અને ત્યારબાદ જ્યારે પોલીસ બહાર આવી તો લોકો તેમને જોઈને હેરાન થઈ ગયા હતા.

હમણાં ડી.પી ન્યૂઝમાં એક રમુજી સમાચાર આવેલાં કે બનાસ કંઠાનાં ઘોડાસર ગામમાં એક યુવાનએ અન્ય જગ્યાએ પરણી ગયેલી એની પ્રેમિકાને મળવા ગયો ત્યાં સાસરિયા વાળાઓએ ભેગાં મળીને જબરજસ્તી એ યુવકનું મુંડન કરી નાખ્યું એનો વિડિઓ સોશ્યલ મીડિયામાં ખૂબ ચગેલો.


અન્ય આવા તો કઈ કેટલાય મુંડન બાબતેના રમુજી ન્યૂઝ આવતાં રહે છે.પરંતું આજે મને પણ કેશ મુંડન કરવાની ઈચ્છા થઈ આવી કેમ કે લોકડાઉન હોવાથી દુકાનો બંધ હતી અને આમ પણ ઘરે હોવાથી મેં વધતા વાળ દાઢી પ્રેત્યે ધ્યાન આપ્યું નહીં એટલે જરૂરિયાત કરતાં વધી ગયાં. એટલે આજે મન થયું તેથી કેશમુંડન કરાવ્યું. નાનો હશું ત્યારે મુંડન કરાવ્યું હશે જે મને યાદ નથી પણ આજે ઈચ્છા થઈ મુંડન કરાવવાની તો કરી નાખ્યું.
મુંડન કરાવવાથી ઘણાં ફાયદા છે
       વિજ્ઞાન કહે છે કે મુંડન કરાવ્યા પછી માથું એકદમ ખુલ્લું થઈ જાય છે અને તે કરાવતી વખતે નસો ઉપર દબાણ પડે છે. જેથી લોહીનો પ્રવાહ સારી સારી રીતે થાય છે. જોકે મગજના વિકાસ માટે પણ ઘણું મહત્વનું છે.
 બીજું કે મુંડન કરાવ્યા પછી માથું એકદમ ખુલ્લું થઇ જાય છે. જેથી માથા ઉપર વિટામિન ડી એટલે કે સૂર્ય પ્રકાશ સીધો જ માથા ઉપર પડે છે. તેનાથી કોશિકાઓ જાગૃત થાય છે અને તેથી નસોમાં લોહીનું પરિસંચરણ સારી રીતે થાય છે. તેનાથી મસ્થિસ્ક ઠંડુ અને શાંત રહે છે. અને ગરમીના સમયમાં પરસેવાથી અને ગરીમીથી બચી શકાય છે. આ કારણથી જ કદાચ બુદ્ધ ધમ્મનાં ભીખ્ખુઓ દિક્ષા લીધા પછી આજીવન મુંડન રાખે છે.

 ભાઈ છેલ્લે તો હું આપણી સાદી ભાષામાં એટલું જ કહીશ કે ટકો કરાવ્યાં પછી ટકામાં જે ઠંડક મળે છે એ ઠંડકનું વર્ણન કેવા શબ્દોમાં કરું એ સમજાતું નથી. તમારે આ ઠંડકનો અહેસાસ કરવો હોય તો પોતે જ એક વાર મુંડન કરાવી જુઓ....
વાહ શું ઠંડક મળે છે...!!!


                                                          
         - રિપોર્ટર રાહુલ, વણોદ
           મો.8000739976

No comments:

Post a Comment

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...