Friday, May 22, 2020

બુદ્ધ વિચાર અથવા આંબેડકર વિચાર એટલે શું !??




હમણાં હમણાં એટલે કે થોડા વર્ષોમાં આપણાં સમાજમાં એટલે કે અનુસૂચિત સમાજમાં અચાનક સામાજિક કાર્યકરોનો રાફડો ફાટી નીકળ્યો છે.ઘરે ઘરે સમાજ સેવક જન્મી રહ્યાં છે. એ જોઈ મને ઘણી વાર તો આશ્ચર્ય થાય છે કે આ ટોળું ખરેખર સમાજ સેવા કરવા આવ્યું છે...!!??
કે પછી પોતાનાં ઘર ભરવા કે સસ્તી પ્રતિષ્ઠા અને પદ માટે આંબેડકરનાં અનુયાયી હોવાનો ડોળ કરી રહ્યાં છે.
શુ ખરેખર સમાજમાં બાબા સાહેબનાં અનુયાયીઓ વધી રહ્યાં છે ?
જ્યાં જુઓ ત્યાં.. જય ભીમ... જય ભીમ... જય ભીમ...
જોકે જય ભીમ બોલવું એ કોઈ ખોટી વાત નથી પરંતુ જય ભીમ એટલે શું !!??
આપણે જય ભીમનો અર્થ સમજવો પડશે
બાબા સાહેબે કહ્યું હતું કે જે દિવસે સમાજના લોકો પોતાનો ખરો ઇતિહાસ સમજી જશે, ખરો ઈતિહાસ વાંચશે એટલે તે જરુંર હિન્દૂ ધર્મની બેડીઓને ફગાવીને બુદ્ધનાં માર્ગે જશે. બાબાના આ કથનમાં જરાય શંકાને સ્થાન નથી. પરંતું આજકાલ સમાજમાં એવા લોકો પણ જોવા મળે છે જે પોતાને ભીમ અનુયાયી તરીકે ઓળખાવતો હોય છે પરંતું એવાં  લોકોને બાબા સાહેબ સાથે કે એમના વિચારો સાથે કશું લેવા દેવા હોતા નથી મેં એક કવિતા લખી છે જે નીચે મુકું છું

આંબેડકરનાં નામે મને જુઠ્ઠા આડંબર દેખાય છે,
જે બહાર છે એવો ક્યાં એ અંદર દેખાય છે.

પોતે વાતો તો કરે છે મૂળ વિચારધારાની મને,
ને એ જ પછી માથું મંદિરમાં ટેકતા દેખાય છે.

"ભીમ રથ" આગળ નથી વધ્યો એનું દુઃખ નથી,
દુઃખ તો એ છે રથ મને પાછો જતો દેખાય છે.

પ્રેમ, કરુણા અને મૈત્રી સાથે કોઇ સંબંધ જેને,
એવાં ઘણાં મને બુદ્ધની વાતો કરતાં દેખાય છે.

શિક્ષિત કોને કહું એ સમજાતું નથી રાહુલ મને,
અભણ ભણેલાં અને ભણેલાં અભણ દેખાય છે.
           
         આવા લોકોને કોઇ સામાજિક કાર્યકર મિત્ર કે ભીમ અનુયાયીઓને મળે એટલે એને સારું લાગે એટલે કહી દેય. "જય ભીમ.."
આ મારો જાત અનુભવ છે. હવે એ લોકોને કેમ સમજાવવા કે અલ્યા ભઈ તું મને જોઈને "જય ભીમ.." કહે છે એમાં તારું શું વળવાનું છે !!?? હું ભીમને માનું છું, અથવા એમની વિચારધારાને અનુસરીને જીવન જીવું છું. તો એનો મતલબ એવો નથી કે તું માત્ર મને "જય ભીમ" કહી દે એટલે મને સારું લાગશે અને હું ખુશ થઈ જઈશ. ક્યારેક ક્યારેક તો આવા વ્યક્તિને કહેવાનું મન થાય છે કે અલ્યા ભઈ તું મને જય ભીમ નહીં બોલે તો કદાચ ચાલશે પણ જય ભીમ(બાબા સાહેબ) જે કહી ગયાં છે એ પ્રમાણે જીવન જીવીશ તો મારી જેવા કેટલાય તને રોજ સામે ચાલીને જય ભીમ કહેશે. પરંતુ પોતે અંધશ્રદ્ધા અને તે પાખંડવાદમાંથી બહાર નીકળું નથી, બાબા સાહેબનાં પુસ્તકો વાંચવા નથી અને સામેના વ્યક્તિને સારું લાગે એટલે બસ ખાલી જય ભીમ કહેવું છે.આવી દોગલા પંતી ક્યારે છોડશે આ લોકો !?
બાબા સાહેબે ખૂબ સરસ વાત કહી છે જેનાં શબ્દો આપણે સૌએ ઘરે એક ફ્રેમમાં મઢાવીને રાખવા જોઈએ મારું એવું માનવું છે બાબા સાહેબે કહ્યું છે કે, "વિચારો કો સુનકે યા પઢને સે નહીં ઉસ વિચાર કો જીવન મેં ઉતારકર હી બદલાવ યા પરિવર્તન આ સકતા હૈં.."
કોઈએ બહુ સરસ વાત કરી છે કે "અગર મુઝે કોઈ કહે કે એક શબ્દ  મેં લિખે કી માનવતાં ક્યાં હોતી હૈ તો મેં આંબેડકર લિખ દુગા" આંબેડકર એટલે માનવતાનો પર્યાય અથવા એમ પણ કહી શકો કે માનવતાં એટલે બુદ્ધના રસ્તે ચાલવું.. એક વાત યાદ રાખવા જેવી છે કે બુદ્ધે ક્યાંય કહ્યું નથી કે હું કોઈ ધર્મની સ્થાપના કરું છું બુદ્ધે પોતાનો ઉત્તરાધિકારી પણ કોઈને નીમ્યા નથી. બુદ્ધે તો માત્ર કહ્યું કે મારા દેખાડેલા માર્ગ ઉપર ચાલો જો એ માર્ગ તમારી બુદ્ધિની કસોટી પર ખરો ઉતરે તો..
     આજે મારે બુદ્ધની વાત કરવી છે કે બુદ્ધત્વ એટલે શું ?
અત્યાર સુધી ઘણાં બુદ્ધ ધમ્મના લોકો મેં જોયા, પરંતુ એમાંથી બુદ્ધનાં વિચારો અમલમાં કેટલાં મૂકે છે એ હજુ મને સમજાયું નથી ?
      કોઈ એક વ્યક્તિ તમને કહે કે હું તારી સાથે મારપીટ કરવાનો છું. જો તું મારાથી ડરતો હશે તો તું ઘરની બહાર ડરના કારણે નહીં નીકળે અને જો નહીં ડરતો હોય તો તું બહાર નિકડીશ ??
     આવી પરિસ્થિતિમાં સામાન્ય માણસ ઉશ્કેરાઈ જાય અને હિંસાના માર્ગે વળે પરંતું જેણે ખરા અર્થમાં બુદ્ધને પચાવ્યા હશે તે હિંસાના માર્ગે નહીં વળે અને બહાર નહીં નીકળે, બહાર નહીં નીકળે એનો મતલબ એ નથી કે એ વ્યક્તિ સામેના વ્યક્તિથી ડરતો હશે પણ એ કારણથી કે વેરથી વેર ના સમે, હિંસા સામે હિંસા એ સમસ્યાનું સમાધાન નથી ખુદ બુદ્ધે જ પોતાનાં કપિલાવસ્તુનાં મહેલને એટલા માટે છોડ્યો હતો કેમ કે બે રાજ્યો વચ્ચે નદીના પાણીના કારણે યુદ્ધ થવાનું હતું અને બુદ્ધ એ યુદ્ધ થાય તેમ નહોતો ઇચ્છતા.બુદ્ધના માટે હિંસા એ સમસ્યાનું સમાધાન નથી. આ વાત પર મને મોહિન્દ મૌર્ય સાહેબે લખેલ કાવ્યના બે શેર યાદ આવી ગયો કે,

"જો તું વિચારો રૂપે બુદ્ધને વાવી શકે,
તો તું જરૂરથી યુદ્ધને અટકાવી શકે."

બુદ્ધની કરુણા હો, ફક્ત બોલવાથી શું ?
એ તારામાં હોય તો અસર આવી શકે.

વાહ ! કેટલી સરસ રીતે મોર્ય સાહેબે બુદ્ધ વિચારનાં અસરકારક પ્રભાવ વિશે વાત કરી !
આ શેર વાંચી મને સમ્રાટ અશોક યાદ આવ્યાં. મને યાદ નથી કે સમ્રાટ અશોકે બુદ્ધ ધમ્મ અંગીકાર કર્યો એ પછી કોઈ યુદ્ધ કર્યું હોય !? હા, બુદ્ધ ધમ્મ અંગીકાર કર્યા પછી સમ્રાટ અશોકને આખા ભારત વર્ષના લોકો યુગો યુગો સુધી યાદ કરે એવા ઉત્તમ માનવતાં સભર કાર્યો જરૂર કર્યા છે.કેમ કે છેલ્લે તો બુદ્ધે કહ્યું કે "અત્ત દિપો ભવ"
આ તાકાત છે બુદ્ધ વિચારની..
હવે બીજો દાખલો આપું કાંસીરામ સાહેબે બાબા સાહેબને વાંચ્યા પછી એમણે માત્ર સાઇકલ લઈને આખા ભારત દેશના સીમાડા માપી લીધા એ કાઈ નાની સુની વાત નથી પરંતું સમ્રાટ અશોક અને કાંશીરામ સાહેબમાં આ તાકાત આવી ક્યાંથી !?
તો જવાબ છે મહાપુરુષોનાં વિચારો ઉપર ચાલીને ના માત્ર એમનાં નામનું રટણ કરીને !
કાંશીરામ સાહેબે માત્ર જય ભીમ બોલ્યું હોત તો આજે કાંશીરામ સાહેબને તો કોઈ ઓળખતાં નહોત પરંતું હું દાવા સાથે કહું છું કે આજે ડો.આંબેડકરને પણ આપણે ભૂલી ગયા હોત અને એમના વિચારોને મનુવાદીઓએ ધર મૂળથી ઉખેડી ફેંક્યા હોત.
હું વાત કરતો હતો નકલી આંબેડકરવાદીઓનો જે રાફડો ફાટ્યો છે એની. ચોરે અને ચોંટે જય ભીમ બોલનારા ડઝન બંધ હોલસેલના ભાવે તમને મળી રહેશે. પણ એમાં કેટલાના ઘરે આંબેડકરના પુસ્તકો હોય છે એ પણ જરા જોજો. ખરા અર્થમાં આંબેડકરવાદી હોવું અને બુદ્ધના રસ્તે ચાલવું એટલે બુદ્ધ અને બાબા સાહેબનાં બિચારોનું આપણાંમાં આરોપણ થવું અથવા અન્યના દિલો દિમાગમાં એ વિચારોના બીજ રોપવા..
આવો એક કિસ્સો જણાવું જેમાં મારાં મિત્ર કહો કે માર્ગદર્શક એવા આદરણીય મોહિન્દર મૌર્ય સાહેબ વિશેની તો હમણાં બે દિવસ પહેલાં મારા એક મિત્રએ એક ઉચ્ચ હોદ્દા પર બેઠેલ વ્યક્તિ પર પોતાને જાતિવાદી શબ્દોથી અપમાનિત કર્યા એ બદલ એ મિત્રે ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. એ મિત્ર કાયદાકીય રીતે લડી લેવાના મૂળમાં હતાં. પરંતુ ત્યાં જ એમની વાત મોહિન્દર મૌર્ય સાહેબ સાથે થઈ એ ટેલિફોનિક વાર્તાલાપમાં હું પણ કૉન્ફ્રરન્સનાં માધ્યમથી જોડાયો હતો. વાર્તાલાપ ચાલીસ મિનિટ જેટલો ચાલ્યો વાતની શરૂઆતમાં એ મિત્ર લડી લેવાના મૂળમાં હતાં.
              પરંતું મોર્યા સાહેબે એમની આગવી આવડત અને જ્ઞાનના આધારે એ મિત્રના મનમાં વિચાર પરિવર્તન લાવ્યાં અને સામેના વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને બદલો લેવાને બદલે "દિમાગમાં બરફ અને દિલમાં આગ" ની અનોખી પદ્ધતિથી અપમાનનો બદલો લેવાં એ મિત્રને સૂચવ્યું અને સાથે એ પણ સૂચવ્યું કે એના માટે આપણે સત્તા પર આવવું પડશે. મોર્યા સાહેબે આગળ તે મિત્રને સમજાવતા કહ્યું કે સમાજ ઉપર થતાં કે ખુદની ઉપર થતાં અન્યાય, અત્યાચાર રોકવા હોય તો રાજકીય સત્તા હાંસલ કરો.



 અને મોર્યા સાહેબની આ વાત તે મિત્રને ગળે એ રીતે બેસી ગઈ કે તેણે આવતી ડેલીકેટની ચૂંટણીમાં પોતાનાં વિસ્તારમાં ડેલીકેટના ઉમેદવાર તરીકે ઉભો રહેવાનું નક્કી કર્યું છે. અને પોલીસ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું છે. મોહિંદર મોર્યા સાહેબે જાણે અજાણે એ મિત્રને ત્યાં જવા કહ્યું જ્યાં જવા માટે બાબા સાહેબ કહી ગયાં છે.
આ વાત અહીં મુકવાનો મારો આશય એટલો જ કે માત્ર જય ભીમ અથવા નમો બુદ્ધાય કહેવાથી એ સાબિત નથી થતું કે આપણે ખરા ભીમ અનુયાયીઓ છીએ. ખરા ભીમ અનુયાયી બનવા માટે બુદ્ધ વિચાર અને બાબા સાહેબનાં વિચારોના બીજ સમાજના અન્ય લોકોમાં વાવવા પડશે તો જ ખરા અર્થમાં બાબા સાહેબનો રથ આગળ ગયો ગણાશે..
બાકી માત્ર જય ભીમ કહેવાવાળા તો કેટલાય રોજ મળે છે..

મારો એક શેર લખું છું.

કભી ભીમ મિશન કો ચલના ચાહો તો ભીમ કે વિચારો પે ચલના,
વર્ના સિર્ફ "જય ભીમ" કહેને વાલે તો રોજ હજારો મિલા કરતે હૈ..!!


           -રિપોર્ટર રાહુલ, વણોદ
            મો.8000739976

11 comments:

  1. વાહ વાહ અદભુત
    સચોટ વાત કરી સાહેબ

    ReplyDelete
  2. વાહ વાહ સાહેબ સરસ વાત કહી
    જય ભીમ
    નમો બુદ્ધાય

    ReplyDelete
    Replies
    1. જય ભીમ
      નમો બુદ્ધાય સાહેબ..

      Delete
  3. ખુબ સરસ વાત કરી સાહેબ તમારી પાસેથી ઘણું બધું શીખવા જેવું છે.

    ReplyDelete
    Replies
    1. આભાર સાહેબ આ તો આપ સૌનો પ્રેમ છે...
      આપનો પરિચય આપો એકબીજાનો પરિચય કેળવીએ...

      Delete
  4. ખરેખર....સત્ય છે રાહુલભાઇ....
    મોહિન્દર મૌર્ય ને હું વ્યક્તિગત રીતે જાણું છું...સાચા અર્થ માં આંબેડકર ના અનુયાયી છે...અને બુધ્ધ ના માર્ગે ચાલે છે....
    કોઈ જ ભેદભાવ..આડંબર...રાગ દ્વેષ વગરના પહેલા માણસ જોયા છે મે અત્યાર સુધી....

    ReplyDelete

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...