Friday, June 12, 2020

કોરોનાં કહેરમાં શબવાહીની સમસ્યા...


     
                                                                                લેખન - રાહુલ, વણોદ                                
                                                                                  મો.8000739976


                 અમદાવાદ શહેરમાં હજુ પણ કોરોનાનો કહેર વણથંભ્યો યથાવત છે. અમદાવાદ હાલ ગુજરાતમાં "કોરોનાં કેન્દ્ર" બની ગયું છે. એક બાજુ જ્યારે સરકારે મોટા ભાગની છૂટ આપી છે ત્યારે અમદાવાદમાં દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિમાં અમદાવાદ તંત્રએ પણ પડકારજનક પરિસ્થિતિઓને સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં ઉલ્લેખનીય છે કે અમદાવાદ વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું શહેર છે. તેથી કોરાનાં કેસ પણ સૌથી વધુ અમદાવાદમાં જ જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્રએ દરેક પડકારોને પહોંચી વળવા તૈયાર રહેવું પડે છે.

                                અમદાવાદમાં કોરોના કેસ વધી રહ્યા છે. તેથી કોરોના દર્દીઓની સારવાર કરી એમને સ્વસ્થ કરી ઘરે પહોંચાડવા તંત્ર માટે કપરું બની રહ્યું છે. અને કોરોનાની બીમારીની હજુ સુધી કોઈ ચોક્કસ દવા શોધાઇ ન હોવાથી મોટી સંખ્યામાં મૃતકો વધી રહ્યા છે. ત્યારે દરેક મૃતકોને શબવાહિની ઉપલબ્ધ કરાવવી એ તંત્ર માટે પડકારજનક બની રહ્યું છે. કેમકે આ પ્રમાણેની મહામારી કે જેમાં મોટી સંખ્યામાં એક સાથે મૃત્યુ થવા એ ઘણાં વર્ષે ગુજરાતમાં જોવાં મળી છે. કોરોનાના કારણે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલમાં કોરોનાના કારણે મૃતકો વધ્યા છે ત્યારે દરેક મૃતક માટે તેમના પરિવારજનોને એમ્બ્યુલન્સ અને શબવાહીની ઉપલબ્ધ કરાવવી તંત્ર માટે અઘરું થઇ પડે છે.


                                 
 
                               અમદાવાદમાં દરરોજના 250થી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે કોરોના દર્દીઓને લઈ જવા માટે એમ્બ્યુલન્સની જરૂર પડતી હોય છે. ઉપરાંત કોરોનાથી મૃત્યું પામેલ મૃતકો માટે પણ શબવાહીનીની જરૂર ઉભી થઇ છે.આમ  હાલના આ કોરોનાંના કપરા સમયમાં મોટી સંખ્યામાં તંત્ર માટે એમ્બ્યુલન્સ અને શબવાહીની ઉપલબ્ધ કરાવવી એ અઘરું કામ થઈ પડે છે. અમદાવાદમાં કોરોનાં કેસ જેટલી ઝડપે સામે આવી રહ્યા છે તેની સામે મૃતકો પણ વધી રહ્યા છે. ત્યારે દરેક મૃતદેહ માટે શબવાહીની ઉપલબ્ધ કરાવવા તંત્રએ ભારે જહેમત ઉઠાવવી પડે છે.

 મોતનો આંકડો વધતા શબવાહીનીઓની અછત સર્જાય છે. અને તેથી કોરોનાને કારણે મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને મૃતકના મૃતદેહને લઈ જવા માટે કેટલાય કલાકો સુધી રાહ જોવી પડે છે. કેટલાક કિસ્સાઓમાં તો 6 થી 8 કલાક સુધી શબવાહિની માટે મૃતકના પરિવારજનોએ રાહ જોવી પડે છે.

    અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં(આ લખાઈ રહ્યું છે ત્યારે) 15305 કેસ નોંધાયા છે અને 1092 મોત થઇ ચૂક્યા છે. આમ આટલી મોટી સંખ્યામાં શબવાહીનીઓ માટે અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટ પાસે 15 શબવાહીનીલ છે જેમાંથી 10 તો કોરાનાં માં કાર્યરત છે અને 5 રીપેરીંગમાં છે. કોઈ વ્યક્તિનું કોરોનાને કારણે મૃત્યુ થાય ત્યારે તેના પરિવારજનોને કલાકો સુધી રાહ જોવી પડે છે. કેમ કે કોરોનાને મૃતકોને લઈ જવા માટે જે શબવાહીનીઓનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં શબને સ્મશાને મુકીને આવ્યા બાદ સ્મશાનમાં જ શબવાહીનીને સેનેટાઈઝર કરવામાં આવે છે. તે પછી જ અન્ય જગ્યાએ મોકલવામાં આવે છે. જેથી શબવાહીનીથી અન્ય લોકોમાં કોરોનાનો ચેપ ના ફેલાય. આમ એક બાજુ શબવાહીનીઓની અછત અને ઉપરથી સેનેટાઈઝર માટેની પ્રક્રિયાના કારણે શબવાહીનીઓની અછત સર્જાઈ છે. ઉપરાંત થોડા સમય પહેલાં શબવાહીનીઓના કેટલાંક સરકારી ડ્રાઇવરો રજા ઉપર ઉતરી જતાં તંત્રએ કેટલીક પ્રાઇવેટ હોસ્પિટલની શબવાહીનીઓ કામે લગાડી હતી.

          ઘણીવાર શબવાહિની કે એમ્બ્યુલન્સના અભાવને કારણે અથવા ન મળવાને કારણે પરિવારજનોએ ખાનગી સાધનોમાં ભાડું ચૂકવી  શબને લઇ  જવું પડે છે. ભારતમાં કેટલીક એવી શરમજનક ઘટનાઓ સામે આવેલી છે કે જેમાં મૃતકના પરિવારજનોને શબવાહિની કે એમ્બ્યુલન્સ ન મળતા શબને ઉપાડીને લઈ જવું પડ્યું છે. (ઝારખંડમાં દાના માંઝીની મૃત પત્નિના મૃતદેહને લઈ જવા માટે શબવાહીની ન મળતાં તેઓ પોતાની મૃત પત્નીના શબને ખંભે ઉઠાવીને લઈ ગયાં હતાં એ ઘટના હજુ આપણા દિલો દિમાગમાંથી ભુલાઈ નથી.)


                         અથવા ખાનગી સાધનમાં લઈ જવામાં આવ્યું છે. આ કેટલું દયનીય અને ડરામણું ચિત્ર હશે !!??
   આવો જ એક કેસ કિસ્સો થોડા સમય પહેલાં અમદાવાદમાં જોવા મળ્યો હતો.જે વાંચીને, સાંભળીને આપણું હૃદય દ્રવી ઉઠે છે.

      અમદાવાદમાં થોડા દિવસો પહેલા એક હૃદય દ્રાવણ ઘટના સામે આવી હતી. જેમાં એક વૃદ્ધ પિતાને છાતીમાં દુખાવો થતાં તેમના પુત્રે 108 માં ફોન કરી એમ્બ્યુલન્સ નોંધાવી હતી. પરંતુ 108 સમયસર ઘરે આવી શકી નહીં અને પિતાની તબિયત વધારે લથડતાં તેમના પુત્રએ પિતાને રિક્ષામાં જ સિવિલ હોસ્પિટલ લઇ જવા પડ્યાં હતાં. પરંતુ સિવિલના દરવાજે પહોંચતાં વૃદ્ધ પિતાનું પ્રાણ પંખેરૂ ઉડી જાય છે. પોતાની નજર સામે જ પિતાના શ્વાસ થંભી જવાથી પુત્ર ભાંગી પડે છે. ત્યારબાદ  પુત્રએ લગભગ એક કલાક સુધી હોસ્પિટલના સ્ટાફને હાથ જોડીને પોતાના પિતાના મૃતદેહને લઈ જવા શબવાહીની આપવા વિનંતી કરી હતી. પરંતુ સિવિલ હોસ્પિટલ દ્વારા શબવાહીની આપવામાં આવી ન હતી અને અંતે પુત્રે માલસામાન ભરવાના ટેમ્પોમાં પિતાના મૃતદેહને ઘરે લઈ લેવો પડ્યો હતો.
        અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં રહેતા 64 વર્ષે નરેન્દ્ર સિંહ ચૌહાણને હૃદયમાં અસહ્ય દુખાવો થતાં તેમના દીકરાએ સવારે 10 વાગ્યે 108 માં ફોન કરી એમ્બ્યુલન્સ નોંધાવી હતી. જોકે એમ્બ્યુલન્સ 11 વાગ્યા સુધી આવી નહીં અને પિતાની તબિયત વધારે લથડતા દીકરાએ પિતાને રિક્ષામાં જ લઈ જઈ  સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ અફસોસ કે પિતાએ સિવિલ હોસ્પિટલના દરવાજે પાસે છેલ્લા શ્વાસ લીધા હતા.

                           
                        મૃતક નરેન્દ્રસિંહ ચૌહાણના દિકરા વિવેકસિંહ ચૌહાણે કહ્યું કે, સિવિલથી મારુ ઘર એકદમ નજીક હોવા છતાં 108 ની મદદ મળી શકી ન હતી 108  એ પહેલાં કહ્યું હોત કે, સમયસર નહીં પહોંચી શકીએ તો પિતાને વહેલી તકે અન્ય કોઈ સાધન માં હોસ્પિટલ પહોંચાડી દીધા હોત. ઉપરાંત સિવિલ હોસ્પિટલે તેમના પિતાના મૃતદેહને લઈ જવા પણ શબવાહીની આપવાનો ઇનકાર કરી દીધો હતો. રિક્ષાવાળાઓએ પણ મૃતદેહને લઈ જવા માટે ઇનકાર કરી દીધો હતો. તેથી મજબૂરીવશ પિતાનાં મૃતદેહને માલસામાન ભરવાના ટેમ્પોમાં લઈ ગયા હતા. આગળ વિવેકસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, તેમનું ઘર સિવિલ હોસ્પિટલથી એકદમ નજીક જ છે તેથી પિતાને અડધી રાત્રે કોઈપણ ઈમર્જન્સી હશે ત્યારે સારવાર મળી રહેશે તે જ વિચારે આ ઘર છોડી બીજે રહેવા નહોતા ગયા પરંતુ મારી ગણતરી ખોટી પડી અને સિવિલ હોસ્પિટલના દરવાજે જ મારા પિતાએ છેલ્લા શ્વાસ લીધા હતાં. ઍમ્બ્યુલંસ તો વહેલાં ના આવી શકી પરંતુ પિતાના  મૃત્યુ મૃત્યુ બાદ તેમના મૃતદેહને લઈ જવા માટે પણ સિવિલ હોસ્પિટલમાંથી શબવાહીની ના મળતાં પિતાનાં મૃતદેહને ઘરે લઈ જવા માટે પણ ફાંફા મારવા પડ્યા હતા."આમ પિતાની વ્યથા વર્ણવતાં વિવેકભાઈ રડી પડે છે.

                             તસ્વીર પ્રતીકાત્મક હોઈ શકે છે.

      ત્યારે સવાલ એ ઉઠે છે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ મૃત્યું પામે છે. ત્યારે મૃતકના પરિજનો ઉપર અપાર દુઃખ ના ડુંગરા ખડકાય  છે.
 એવામાં પરિજનોને મૃતકનો મૃતદેહ ઘરે લઈ જવા માટે પણ શબવાહીની માટે ફાંફાં મારવા પડે છે તે વિચાર જ આપણા હૃદયને હચમચાવી મૂકે છે.

No comments:

Post a Comment

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...