લેખન - રાહુલ, વણોદ
મો.8000739976
સૂર્ય ઉગે છે આથમે છે
ચંદ્ર ઉગે છે આથમે છે.
દિવસ ઉગે,આથમે,
રાત આવે,જાય છે.
માણસ જન્મે છે, મૃત્યુ પામે છે.
આ બધી પ્રાકૃતિક ઘટનાઓ છે. આ ઘટનાઓ કેમ થાય છે ?
શા માટે થાય છે ?
જેના જવાબ આપણી પાસે નથી. પરંતુ એટલું ચોક્કસ છે કે પૃથ્વી છે ત્યાં સુધી આ બધું છે. કદાચ એક સમયે પૃથ્વી હશે .મનુષ્ય નહીં હોય. પરંતુ પ્રકૃતિ નહીં હોય તો મનુષ્ય હશે !!??
નહીં હોય કેમ કે પ્રકૃતિ વગર મનુષ્યનું અસ્તિત્વ શક્ય જ નથી.
માટે આપણે હાલ પૃથ્વી ઉપર જીવી રહ્યાં છીએ તો એ પ્રકૃતિને કારણે. આ પૃથ્વી પર શ્વાસ લઈ રહેલાં દરેક વ્યક્તિ ઉપર પ્રકૃતિનો ઉપકાર છે. એ આપણે ના ભૂલવું જોઈએ. અને એમાંય જન્મ દિવસે તો ખાસ. કેમ કે તમને જીવનદાન આપનાર તત્વ માતા પિતા બાદ પ્રકૃતિ છે. પ્રકૃતિએ આપણેને જીવન આપ્યું પરંતુ પ્રકૃતિને આપણે શું આપ્યું !!?
આપણે પ્રકૃતિને આપી પણ શું શકીયે ? હા પ્રકૃતિ કે પર્યાવરણનું સંરક્ષણ અને જાળવણી જરૂર કરી શકીએ.તેથી મારા જન્મ દિવસે પ્રકૃતિનું ઋણ ચૂકવવા માટે દર વર્ષે હું વૃક્ષારોપણ કરું છું. ભારતની સંસ્કૃતિમાં પ્રકૃતિને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. અને એમાં બહુજન સમાજ તો સદીઓથી પ્રકૃતિને ખોળે રમનાર સમાજ રહ્યોં છે.પરંતુ જેમ જેમ આધુનિકતાની હવા ભારતમાં ફેલાઈ એમ એમ બહુજન સમાજ આધુનિકતા તરફ ઢળ્યો અને શહેરીકરણ તરફ વળ્યો તેથી જંગલ અને જમીન સાથેનો નાતો લુપ્ત થતો ગયો.પરંતુ આજે પણ બહુજન સમાજનો એક મોટો વર્ગ(આદિવાસી) પ્રકૃતિ અને જમીન સાથે જોડાયેલો રહ્યોં છે. હું એ નથી કહેતો કે આધુનિકતાનો સ્વીકાર ન હોવો જોઈએ પરંતુ એ આધુનિકતા પ્રકૃતિ અને જમીનના ભોગે હોય તો ચોક્કસ હું વખોડું છું. પ્રકૃતિને પ્રેમ કરવાનું મારા માતૃશ્રી પાસેથી શીખ્યો છું.નાનો હતો ત્યારથી જ મારા મમ્મી ઘરના આંગણામાં જાત જાત ફૂલ છોડ અને વૃક્ષો વાવતાં. આ જોઈ નાનપણથી હું પણ પર્યાવરણ તરફ ઢળ્યો અને ઘરના આંગણામાં નાના નાના ફૂલ છોડ વાવતો. પછી ધીમે ધીમે પ્રકૃતિ પ્રેત્યેનો લગાવ વધતો ગયો. જે આજ સુધી વધતો રહ્યો છે.
અને તેથી મારા જન્મ દિવસના દર વર્ષે 100 જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ મેં રાખ્યો છે અને એ પૂરો પણ થાય છે. મારા ગામમાં એક આશ્રમ આવેલો છે જેને બધા "રામપીરનો આશ્રમ" તરીકે ઓળખે છે. ત્યાં આશ્રમમાં એક મોટું મેદાન પણ છે ત્યાં દર વર્ષે મારા જન્મ દિવસે વૃક્ષારોપણ કરું છું. પરંતુ દર વર્ષે 100 વૃક્ષો વાવતો એની જગ્યાએ આ વર્ષે અમુક કારણોસર 50 વૃક્ષો જ વાવી શક્યો. જેમાં દાડમ, સીતાફળ, આસોપાલવ,મીઠો લીમડો અને કેટલાક અન્ય ફળ ફૂલોના છોડનો સમાવેશ કરી શકાય. દર વર્ષે મારો આ નમ્ર પ્રયાસ હોય છે. પ્રકૃતિ અને પર્યાવરણનું ઋણ ચુકવવાનો.
મારું માનવું છે કે જન્મ દિવસની ઉજવણીનાં ભાગ રૂપે કેક અથવા અન્ય બીજો કોઈ ખર્ચ કરીને જન્મ દિવસની ઉજવણી કરવા કરતાં કૈક એવું કાર્ય કરવું જોઈએ જે અન્ય લોકો માટે પ્રેરણારૂપ બને આ પણ એક કારણ છે મારુ જન્મ દિવસે વૃક્ષારોપણ કરવાનું. મારુ માનવું છે કે અન્યને સલાહ આપવા કરતાં આપણે ખુદ એ કાર્ય કરીએ જેથી સમાજમાં આપણે અન્યો માટે પ્રેરણાસ્ત્રોત બનીએ.
જોકે આજના સમયમાં આ વિચાર લોકોનાં ગળે ઉતારવો એ અઘરું છે.આપણે પ્રકૃતિ અને પ્રયાવરણના સંરક્ષણ અને સાચવણી માટે એટલા ગંભીર નથી જેટલાં હોવાં જોઈએ. પરંતુ જ્યાંરે ગંભીરતા સમજાશે ત્યારે કદાચ બહુ મોડું થઈ ગયું હશે. મારા અથવા મારી જેવા કેટલાય વ્યક્તિઓના પ્રયાસોથી પ્રકૃતિના સંરક્ષણમાં કશું ઝાઝો ફરક નથી પડવાનો હું જાણું છું. પરંતુ પ્રકૃતિની જાળવણી અને બચાવ માટે જે કામગીરી હું કરી રહ્યોં છું. એ મારા ખુદનાં ગૌરવ માટે પૂરતું છે. મારા આ જન્મ દિવસે વૃક્ષારોપણ માટે મારા પરમ મિત્ર અતુલે મારી ખૂબ મદદ કરી. આભાર દોસ્ત.એ પણ ખરો પ્રકૃતિ પ્રેમી. એનું ભણતર માત્ર ચાર ચોપડી પરંતુ પ્રકૃતિને સારી પચાવી છે. પ્રકૃતિના બધા ગુણો એનામાં છે ઉદારતા, સહનશીલતા, પરોપકારની ભાવના,ક્ષમાશીલતા વગેરે...
જન્મ દિન નિમિત્તે મને મેસેજ,ફોન દ્વારા અથવા રૂબરૂ મળી શુભેચ્છાઓનો વરસાદ કરનારા મારા સન્માનનીય મિત્રો, સામાજિક કાર્યકર સાથી મિત્રો, સ્વજનો, વડીલો આ બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.મારો સંપર્ક કરવા છતાં જાણે અજાણે કોઈ સાથે આજે મારે વાત ન થઈ શકી હોય અથવા વાત ન કરી શક્યો હોય એના બદલ હું દિલગીર છું.
આપ બધાનો આ પ્રેમભાવ, વ્હાલ અને મૈત્રીભાવ જ મારો આજનો સૌથી મોટો ઉપહાર છે. ખૂબ આનંદ થાય છે કે આપ સૌનો આટલો પ્રેમ મને મળ્યો. અને આ પ્રેમ બસ આમ જ મને અવિરત મળતો રહે તેવી અભ્યર્થના..🙏🏻
જય પ્રકૃતિ..
Supar
ReplyDeleteTHank you sir
Delete🤙🏻❣
ReplyDelete