Wednesday, June 17, 2020

સુશાંત you are so lucky...

                                             
                               ફિલ્મ અભિનેતા, સુશાંતસિંહ
                                   સરનામું - સ્વર્ગ,


ડિયર સુશાંત,
             
                      દુઃખ સાથે કહેવું પડે છે કે તારે આ પગલું ભરવાની શું જરૂર હતી !!? તું તો આર્થિક રીતે મજબૂત હતો. તારી પાસે ગાડી, બંગલો, ખોરાક બધું જ હતું. સામાન્ય જીવન જરૂરી વસ્તુ હોય એ બધી જ તારી પાસે હતી તે છતાં તે આ પગલું ભર્યું છે એનું દુઃખ સમગ્ર ભારતને છે. તું તો એક પ્રખ્યાત અભિનેતા હતો. તારી ફિલ્મો થકી તે ઘણું મનોરંજન કર્યું છે. તેથી આખો દેશ આજે તારી અણધારી વિદાયથી સ્તબ્ધ છે. તારી આત્મહત્યાના સમાચાર આવતા જ ટીવી અને સોશિયલ મીડિયામાં બધાએ દુખ વ્યક્ત કર્યું છે કેમ કે એક ફિલ્મ અભિનેતા માનસિક તાણમાં આવીને આત્મહત્યા કરી લે એ આંચકાજનક છે સમગ્ર દેશ માટે અને દેશના સમગ્ર લોકો માટે.પરંતુ કોઈ તકલીફ તો એવી જરૂર હશે તને કે જેના કારણે તને આટલી હદે માનસિક તણાવ મહેસુસ થયો હશે એથી તે આ પગલું ભર્યું હશે.

      પરંતુ ડિયર સુશાંત એક વાત કહું તને ખોટું ન લાગે તો...!!?
                    ભારતના લોકોને તારા આત્મહત્યા કરવાં પાછળ જેટલું દુઃખ થાય છે એટલું દુઃખ એ લોકોને ત્યારે કેમ નથી થતું જ્યારે જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોની માનસિક સતામણીને કારણે દેશની પાયલ તડવી જેવી હોનહાર ડોક્ટરે આત્મહત્યા કરવી પડે છે !? એ સાચું છે કે તું દેશનો અભિનેતા હતો અને તે આત્મહત્યા કરી એ વાતનું દુઃખ લોકોને હોય પરંતુ પાયલ તડવી પણ આ દેશની ડોક્ટર હતી ને !? તેણે કેટલાક દર્દીઓની સારવાર કરી હશે અને સાજા કર્યા હશે ત્યારે તેણે કોઈ દર્દીને પૂછ્યું નહિ હોય કે તે કઈ જાતિનો છે કે કયાં ધર્મનો છે. પરંતુ ત્યાં કેટલાક ઉચ્ચ જાતિના જાતિવાદના રોગથી પીડાતાં ડોક્ટરો દ્વારા પાયલ તડવીને જાતિવાચક શબ્દો કહીને એટલી હદે અપમાનિત કરવામાં કે એ તારી જેમ જ માનસિક તાણ અનુભવવા લાગી અને એણે પણ તારી જેમ આત્મહત્યા કરી લીધી. હા માન્યું કે તારા અને પાયલ તડવીના આત્મહત્યા કરવા પાછળના કારણો જુદા છે. પરંતુ માનસિક તણાવ તો બંનેને હતો એ કોમન વાત છે.એક ફિલ્મ અભિનેતા માનસિક તાણ અનુભવીને આત્મહત્યા કરે છે ત્યારે જે લોકો આટ આટલું દુઃખ વ્યક્ત કરે છે એ લોકો દેશની એક ડોક્ટર જાતિવાદથી કંટાળીને માનસિક તાણમાં આવીને આત્મહત્યા કરે છે તે ડોક્ટર પ્રત્યે કેમ એ લોકો આટલું દુઃખ કે સંવેદના જતાવતા નથી..!!?
        જે ડૉક્ટરો દર્દીઓના વિવિધ રોગની સારવાર કરતાં હોય છે એ જ ડૉક્ટરો જાતિવાદના રોગથી પીડાતાં હોય છે. અને એના કારણે પાયલ તડવી જેવી દેશની એક હોનહાર ડોક્ટરને આત્મહત્યા કરવા મજબુર થવું પડે છે. ત્યારે આવા ડૉક્ટરો પ્રેત્યે કેમ એ લોકોને ઘૃણા કે નફરત નથી થતી !?

      એક ફિલ્મ અભિનેતા આત્મહત્યા કરે ત્યારે લોકોને જેટલું દુઃખ થાય છે એટલું દુઃખ દેશની એક ડોક્ટર જાતિવાદથી અપમાનિત થઈને આત્મહત્યા કરે છે ત્યારે કેમ નથી થતું !!?
  આને જાતિવાદ ના કહેવું તો બીજું શું કહેવું !?!

              એક બીજો દાખલો આપું ડિયર સુશાંત તો રોહિત વેમુલા. જે દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં અભ્યાસ કરતો તેજસ્વી વિદ્યાર્થી હતો. તેને પણ જાતિવાદથી કેટલો બધો તો પ્રતાડીત કરવામાં આવ્યો હતો કે એણે પણ તારી જેમ માનસિક તાણ અનુભવી હશે અને તેથી તેણે આત્મહત્યા કરી લીધી ત્યારે કેમ આ લોકોનાં દુઃખ કે સંવેદના નથી છલકાતાં !?
                કોઈ વિદ્યાર્થી પર શિક્ષણનો ભાર લાદવામાં આવે ત્યારે તે  આત્મહત્યા કરે છે ત્યારે દેશનો કહેવતો શિક્ષિત વર્ગ જે બળાપો ઠાલવે છે તે દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં શિક્ષણ મેળવતો એક તેજસ્વી વિદ્યાર્થી જાતિવાદથી પ્રતાડીત થઈને માનસિક તાણમાં આવીને આત્મહત્યા કરવા મજબૂર થાય છે ત્યારે કહેવતો શિક્ષિત વર્ગ કે દેશનાં લોકો કેમ સંવેદના જતાવતા નથી..!!?? તને ખબર છે તારા આત્મહત્યાનાં સમાચાર મળતા જ દેશના ટોચના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે આ એ જ નેતાઓ છે જેણે રોહિત વેમુલાની આત્મહત્યા કરવા પાછળ "કાયરતા" જેવો શબ્દ વાપરી દેશમાં ખદબતતાં જાતિવાદનો લૂલો બચાવ કર્યો હતો. જે વ્યક્તિઓ જાતિવાદનાં અપમાનના ઘૂંટડા પી પી ને આખરે જાતિવાદ સામે લડતાં લડતાં થાકી હારી જાય છે અને અને એટલી હદે માનસિક રીતે એ વ્યક્તિને હેરાન પરેશાન કરવામાં આવે કે અંતે તે આત્મહત્યા કરવા મજબૂર બની જાય છે એ કેટલાં હદનું માનસિક ટોર્ચર હશે !? આ પ્રશ્ન વખતે મૌન સાધી લેનાર આજે ટી.વી.મીડયા અને સોશિયલ મીડિયામાં માનસિક તણાવ અંગે પોતાની મોટી મોટી વાતો અને સૂફીયાણાં સૂચનો ફેંકતા ફરે છે.


 એક વાસ્તવિકતા કહું ડિયર સુશાંત..
       તું નસીબદાર હતો કે તે ફિલ્મ જગતમાં પોતાનું નામ બનાવ્યું અને ફિલ્મ અભિનેતા તરીકે તું મૃત્યુ પામ્યો. તારા મૃત્યુ પાછળ દેશના લગભગ દરેક વ્યક્તિ એ દુઃખ વ્યક્ત કર્યું છે. તુ જો એક ફિલ્મ અભિનેતા ન હોત અને સામાન્ય એસ.સી., એસ.ટી વર્ગથી હોત અને જાતિવાદને કારણે કે જાતિવાદનાં માનસિક તણાવને કારણે તે આત્મહત્યા કરી હોત તો લોકોને આટલું દુઃખ ન થાત જેટલું અત્યારે થાય છે. આ છે ભારતના લોકોને જાતિવાદી ચહેરો..

                      આ કડવું સત્ય છે કે સમાજ કે દેશ માટે બલિદાન આપનાર અથવા જાતિવાદના કારણે માનસિક તાણ અનુભવીને જે આત્માહત્યા કરે છે એના માટે ભારતના લોકો એટલું દુઃખ કે સંવેદના નથી અનુભતાં જેટલું દુઃખ કે સંવેદના એક ફિલ્મ અભિનેતા માટે અનુભવે છે. પણ આ બધું તો સદીઓથી ચાલતું આવ્યું છે.અને કોઈને કશો ફરક પડવાનો નથી.પણ સુશાંત you are so lucky...
                 
                             
             લિ. જાતિવાદથી ખદબદતા ભારતનમાં રહેનાર એક નાગરિક

10 comments:

.

न्याय चाहिए तो शासक बनो -मान्यवर कांशीराम  આજે કયો એવો સરકારી વિભાગ છે જે પોતાને મળવા પાત્ર સેવાઓ માટે માંગણી નથી કરી રહ્યોં !??...